રાજ્યના કેટલાક વિસ્તારોમાં કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે, તો કોરોનાને કારણે અમદાવાદના કેટલાક વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. ત્યારે આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
CMની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક
માસ્ટર પ્લાનને મંજૂરી
માસ્ટર પ્લાનની આવતીકાલે કરાશે જાહેરાત
નોંધનીય છે કે, ગાંધીનગરમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેબિનેટ બેઠક યોજાઈ હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ મંત્રીઓ સાથે ચર્ચા કરી હતી અને કોરોના પ્રભાવિત વિસ્તારોમાં થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી આ સાથે જ જે જિલ્લામાં કોરોનાના એક પણ કેસ નથી નોંધાયા તે જિલ્લામાં કેવા પ્રકારની છૂટછાટ આપવી તે અંગે પણ ચર્ચા કરી હતી.
રાજ્યમાં છૂટછાટને લઇને આવતીકાલે કરાશે જાહેરાત
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં માસ્ટર પ્લાનને મંજૂરી આપી દેવાઈ છે. નક્કી કરાયેલા માસ્ટર પ્લાનની આવતીકાલે જાહેરાત કરાશે. માસ્ટર પ્લાન પ્રમાણે કોરોના સંક્રમણ નથી ત્યાં 21 એપ્રિલથી કેટલીક છૂટછાટ અપાઈ શકે છે..રાજ્યના ઉદ્યોગો, બાંધકામ અને આર્થિક ગતિવિધિઓમાં છૂટછાટ અપાઈ શકે છે.
રાજ્યમાં કોરોના વાયરસના નવા 71 કેસ નોંધાયા
રાજ્યમાં કોરના વાયરસના વધુ 71 કેસ નોંધાયા છે. જેને લઈને કોરોના વાયરસનો ગુજરાતમાં કુલ આંકડો 766 પર પહોંચી ગયો છે. જે 71 કેસ નવા નોંધાયા છે તેમાં અમદાવાદના 46, વડોદરાના 5, રાજકોટના 6,સુરતના 3, ભરૂચના 2, આણંદના 7 અને નર્મદાના 2 કેસ પોઝિટિવ કેસ સામેલ છે..આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આ માહિતી આપી હતી.