કોરોના વારયસના સંકટની વચ્ચે સરકારે રાહતની જાહેરાત કરી છે. આવનારા 3 મહિના સુધી કોઈ પણ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા પર કોઈ ચાર્જ નહીં લાગે. નાણામંત્રીના જણાવ્યાનુંસાર ડેબિટ કાર્ડ ધરાવનારા આવનારા 3 મહિનાઓ સુધી કોઈ પણ બેંકમાં એટીએમમાંથી પૈસા ઉપાડી શકે છે.
પૈસા ઉપાડવા પર 3 મહિના સુધી ચાર્જ નહીં લાગે
તમામ બેંકના ખાતાધારકોને રાહત આપી
નજીકના એટીએમમાંથી પૈસા કાઢી શકે છે
કોઈ પણ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા પર 3 મહિના સુધી ચાર્જ નહીં લાગે
કોરોના વાયરસ સામેની લડાઈમાં સામાન્ય જનતાને મોટી રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે તેમાં નિર્મલા સીતારમણે એલાન કરી વધુ એક રાહત આપી છે. આવનારા 3 મહિના સુધી કોઈ પણ એટીએમમાંથી પૈસા ઉપાડવા પર કોઈ ચાર્જ લગાવવામાં નહીં આવે. નાણામંત્રીના જણાવ્યાનુંસાર ડેબિટ કાર્ડ ધારક આવનારા 3 મહિના સુધી કોઈ પણ બેંકમાંથી પૈસા ઉપાડી શકે. તેમના પર કોઈ પણ પ્રકારનો ચાર્જ નહી લગાવવામાં આવે. સાથે સાથે ગમે તેટલા ટ્રાન્જેક્શન કરવામાં આવે તો તેના પર કોઈ ચાર્જ વસૂલવામાં નહીં આવે.
નજીકના એટીએમમાંથી પૈસા કાઢી શકે છે
બેંક ખાતા ધારકો માટે બીજો મોટો નિર્ણય એ છે કે આવનારા કેટલાક મહિનાઓ સુધી બેંકમાં મિનીમમ બેલેન્સની શરતોમાંથી પણ છુટ આપવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની આ જાહેરાતથી તમામ નાગરિકોને રાહત મળી છે. કેમ કે કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન છે તથા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ સમસ્યાની વચ્ચે ખાતાધારકો ઘરની બહાર નથી નીકળી રહ્યા. પૈસાની જરુરીયાતને પુરી કરવા માટે નજીકના એટીએમમાંથી પૈસા કાઢી શકે છે. એ પછી કોઈ પણ બેંકનું એટીએમ હોય.
કોરોનાને લઈને બીજા મોટા નિર્ણયો
TDS પર વ્યાજ દર 19 ટકાથી જગ્યાએ 9 ટકા કરાયો છે.
ટેક્સ રિટર્નને લઈને તારીખ 30 જૂન કરવામાં આવી હતી.
વિવાદથી વિશ્વાસ સ્કિમનો સમય પણ 30 જૂન સુધી લઈ જવાયો
જીએસટી ભરવાની તારીખ 30 જૂન કરવામાં આવી હતી.
આધાર કાર્ડને પાનકાર્ડ તારીખ 30 જુન સુધી લીંક કરી શકાશે