ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવાત જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેરમાં રેમડેસીવીર ઇંજેકશનને લઇને ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે. શહેરમાં આ ઇંજેકશનની અછત જોવા મળી રહી છે. કોરોનાની સારવામાં આ રેમેડેસીવીર ઇંજેકશન વપરાય છે.
ભાવનગરમાં રેમડેસીવીર ઈંજેકશનની અછત
ખાનગી હોસ્પિટલના સંચાલકોની ઈંજેકશનની માંગ
કોરોનાની સારવારમાં વપરાય છે રેમડેસીવીર ઈંજેકશન
ગુજરાતમાં ચાલી રહેલા કોરોના વાયરસની મહામારીના કહેર વચ્ચે રાજ્યના ભાવનગર શહેરમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે. શહેરમાં કોરોનાની સારવાર માટે વપરાતા રેમેસીવીર ઇંજેકશનની અછત જોવા મળી છે.
શરેહમાં રેમડેસીવીર ઇંજેકશનને લઇને ખાનગી હોસ્પિટલોના સંચાલકોએ માંગ કરી છે. જો કે શહેરમાં કોરોના કેસોમાં પણ ચિંતાજનક વધારો થઇ રહ્યો છે ત્યારે આ ઇંજેકશનની અછતના પગલે વધુ તકલીફ પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
ત્યારે હાલમાં શહેરમાં કોરોનાના ઇંજેકશનની અછતને લઇને તંત્ર તરફથી હજી સુધી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી. ત્યારે સવાલ એ થાય છે કે જો આ ઇંજેકશનની અછત સાચે જ હોય તો કોરોનાના દર્દીઓની સારવાર લઇને સૌથી વધુ મુશ્કેલી જોવા મળી શકે છે.