ગુજરાતમાં કોરોના મહામારી પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે હવે રાજ્યમાં વધતા કોરોનાના કેસનો લઇને અનેક જિલ્લાઓમાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓના વેપારીઓ દ્વારા વધતા કેસોને ધ્યાનમાં લઇને બપોર બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેરમાં સંક્રમણ વધતા લોકો દ્વારા બપોર બાદ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાવનગર શહેરમાં કોરોનાના સંક્રમણ સતત વધારો
શહેરમાં રોજના 30થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે
બપોરે 3 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો લેવાયો નિર્ણય
ભાવનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહેલું જોવા મળી રહ્યું છે. શહેરમાં અનલોકમાં કોરોનાનું સંક્રમણ વધતા લોકોમાં ચિંતા વધી ગઇ છે. ભાવનગરમાં રોજના 30થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે.
ત્યારે હવે શહેરમાં સંક્રમણને અટકાવવા માટે લોકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લઇ રહ્યાં છે. શહેરના વેપારી એસોશિએસનને પણ બપોર 3 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લા અને શહેરમાં રવિવારે વધુ નવા 35 કેસ સામે આવ્યાં હતા. જેમાં શહેરમાં 25 અને ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા હતા. ભાવનગરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 936 પર પહોંચી ગઇ છે.