કોરોના આખી દુનિયાને ડરાવી રહ્યો છે ત્યારે ભારત સહિત અનેક દેશમાં ફરીથી માથું ઉંચકી રહ્યો છે. ભારત બાયોટેક અને ICMRની કોવૈક્સીન અંતિમ ચરણના ટ્રાયલમાં છે ત્યારે ભારત બાયોટેકના પ્રેસિડન્ટે આ વેક્સીનને વિશે ખાસ વાત કહી છે. ભારતની આ પહેલી વેક્સીન 60 ટકા પ્રભાવકારી રહેશે. આ સાથે ડબલ્યૂએચઓ, યૂએસ એફડીએ અને ભારતના સીડીએસસીઓએ 50 ટકા પ્રભાવની આશા રાખી છે.
કોવેક્સીનને લઈને બાયોટેક પ્રેસિડન્ટનું નિવેદન
કોવૈક્સીન અંતિમ ચરણના ટ્રાયલમાં
ભારતની આ પહેલી વેક્સીન 60 ટકા પ્રભાવકારી રહેશે
પ્રેસિડન્ટે કહ્યું કે ત્રીજા ચરણમાં ખાસ પરિણામ બાદ તેની પર વધારે કામ કરાશે. તેઓએ કહ્યું કે અમે વેક્સીન માટે આવેદન કરીશું અને ચોથા ચરણને પણ કાયમ રાખીશું, આ સિવાય જો પરિક્ષણના અંતિમ ચરણમાં મજબૂત સાક્ષ્ય સિવાય પ્રભાવકારી સુરક્ષા ડેટા સ્થાપિત કરીશું તો 2021ના પહેેલા 3 મહિનામાં વેક્સીન આવે તેવી આશા છે.
બાયોટેકે શરૂ કર્યું ત્રીજા ચરણનું ટ્રાયલ
કંપનીએ હાલમાં જ ત્રીજા ચરણનું કોવૈક્સીનનું ટ્રાયલ શરૂ કર્યું છે. તેમાં ભારતના 25 કેન્દ્રો પર 26 હજાર વોલેન્ટિયર્સ પર ટ્રાયલ કરાશે. આ ટ્રાયલ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસરિચ એટલે કે આઈસીએમઆરની ભાગીદારીમાં થઈ રહ્યું છે. આ વોલેન્ટિયર્સને આવનારા વર્ષ સુધી ઓબ્ઝર્વેશનમાં રખાશે અને સાથે વેક્સીનના પ્રભાવોનું પણ રિસર્ચ કરાશે. હૈદરાબાદની ભારત બાયોટેકે પોતાની વેક્સીનની પહેલી ઝલક રજૂ કરી છે.આ કંપની વેક્સીનના ત્રીજા ટ્રાયલ પર કામ કરી રહી છે.