કોરોના વાયરસથી રેસ્પિરેટરી સિસ્ટમને પોલી કરી તમને મોતની પથારી સુધી લઈ જાય છે, પણ શુ આ જીવલેણ વાયરસની અસર આપણા શ્વાસ તંત્ર ઉપરાંત શરીરના અન્ય ભાગો પર પડે છે. શું શરીરના બાકીના ભાગમાં કોઈ કનેક્શન છે? ધ લૈન્સટમાં પ્રકાશિત એક રિપોર્ટમાં એવા સવાલોના જવાબ આપવામાં આવ્યા છે.
બ્લડ સેલ્સની સુરક્ષા કરનારા એન્ડોથીલિયમ લેયર જલ્દી નબળુ પડી જાય
હૃદય, કિડની અને ઈન્ટેસટાઈન જેવા શરીરના કેટલાય ખાસ ભાગમાં સમસ્યા વધી જાય છે
આ કારણોસર રોગપ્રતિકારક ક્ષમતાને નબળી બનાવે છે.
આ રિપોર્ટમાં રિસર્ચરોએ દાવો કર્યો છે કે કોરોના બ્લડ સેલ્સના પડ પર હુમલો કરી શરીરના મુખ્ય અંગેને ખરાબ કરી નાંખે છે. જ્યૂરિક યૂનિવર્સિટી હોસ્પિટલના સંશોધન કર્તા ફ્રેંક રુચિત્જકાનું કહેવું છે કે કોરોના ફેંફડા ઉપરાંત શરીરના દરેક ભાગમાં રક્ત વાહિકાઓ માર્ફતે અટેક કરે છે.
શરીરમાં રહેલો વાયરસ નિમોનિયા કરતા વધારે ખતરનાક છે. આ બ્લડ સેલ્સ માટે કવચનું કામ કરે છે . એન્ડોથિલિયમ લેયરની અંદર દાખલ થઈ શકે છે જે રોગપ્રતિકારક ક્ષમતાને નબળી બનાવે છે. એ બાદ દરેક ભાગમાં બ્લડનો ફ્લો ધીમો થઈ જાય છે. હૃદય, કિડની અને ઈન્ટેસટાઈન જેવા શરીરના કેટલાય ખાસ ભાગમાં સમસ્યા વધી જાય છે.
સ્વિઝરલેન્ડ યૂનિ. હોસ્પટલના હાર્ટ સેન્ટર એન્ડ કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં ચેરમેન રુચિત્જકાએ કહ્યું કે તમે વિચાર્યુ છે કે ધુમ્રપાન કરનારા કેમ જલ્દી શિકાર બને છે? હાઈપરટેન્શન, હાઈ બ્લડ પ્રેશર, ડાયબિટિશ અને ઓબેસિટી ધરાવતા લોકો જલ્દી શિકાર બને છે . કેમ કે તેમના બ્લડ સેલ્સની સુરક્ષા કરનારા એન્ડોથીલિયમ લેયર જલ્દી નબળુ પડી જાય છે જેથી તે સરળતાથી વાયરસ અટેક કરી શકે છે.
તેમણે એમ પણ કહ્યું કે દર્દીનું બ્લડ વેસેલ્સ લાઈનિંગ વાયરસથી ભરેલું હતુ. જેથી શરીરના અનેક અંગો ખરાબ થઈ રહ્યા છે. હૃદય, કિટની અને લિવર ખરાબ થઈ ગયુ હતું.