મહામારી કોરોના વાયરસનો કહેર દેશમાં વધી રહ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં 612 લોકો કોરનાની ઝપેટમાં આવી ગયા. આ સમસ્યાની વચ્ચે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે બુધવારે કહ્યું કે દેશ એક એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે કે જ્યાં સશસ્ત્ર દળોએ પોતાના જનાદેશથી ઉપર કામ કરી રહ્યો છે. કોરોના વાયરસની વિરુદ્ધ દેશની મદદ કરવી પડશે.
દેશમાં કોરોના વાયરસથી દર્દીની સંખ્યા 612 થઈ 12 લોકોના મોત
કોરોના વાયરસની વિરુદ્ધ દેશની મદદ કરવી પડશે
આપણે કોઈ પણ ચેલેન્જ માટે તૈયાર રહેવું જોઈએ
તેમણે કહ્યું કે આપણે કોઈ પણ ચેલેન્જ માટે તૈયાર રહેવું જોઈએ. જેમાં દેશમાં કોરોના વાયરસને ફેવાતો રોકવા માટેની ચેલેન્જનો પણ સમાવેશ થાય છે. જનરલ બિપિન રાવતે કહ્યું કે જ્યારે કોરોના વાયરસના પોઝિટિવ કેસ 500થી વધારે થઈ ચુક્યા છે. ત્યારે સશસ્ત્ર દળો સરકારનું સમર્થન કરવા તમામ પ્રકારની ચેલેન્જમાં મદદ કરાવ માટે આશા છે.
તમામ સુચનાઓનો કડક રીતે અમલ કરે
સીડીએમ જનરલ રાવતે કહ્યું કે આ પ્રકારની મહામારીની વિરુદ્ધમાં લડાઈની જવાબદારી તમામ નાગરિકોની છે. કોવિડ-19ની વિરુદ્ધ તમામ સરકારી એજન્સીઓ દ્વારા સમગ્ર સમન્વિત પ્રયત્ન ફક્ત ત્યારે જ સફળ થઈ શકે જ્યારે સમય સમય પર આપવામાં આવતા સૂચનાઓનું પાલન કરવામાં આવે. તેમણે કહ્યું હતું કે સશસ્ત્ર દળોએ પહેલા જ તમામ રેન્કો અને પરિવારોને સૂચન આપી દીધી છે કે તેઓ તમામ સુચનાઓનો કડક રીતે અમલ કરે.
બુધવારે 3 લોકોના મોત નિપજ્યા છે
ભારતમા કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અત્યાર સુધી 612 કેસ નોંધાયા છે જ્યારે 46 દર્દીઓ સુંપુર્ણ રીતે ઠીક થયા છે. દેશમા મૃત્યુઆંક 12 પહોંચ્યો છે. તમિલનાડુ પછી મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં અમદાવાદમાં 1-1 કોરોનાના દર્દીના મોતના સમાચાર આવ્યા છે.