કોરોના વાયરસથી દુનિયાભરમાં કોહરામ મચ્યો છે. આ વાયરસને કારણે લગભગ દોઢ કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. અનેક દેશોમાં એવા અનેક કેસ સામે આવ્યા છે જ્યાં લોકો ફરી કોરોનાગ્રસ્ત થયા છે. ત્યારે સવાલ એ છે કે કોરોના થયા બાદ બનેલી એન્ટિબોર્ડી કેટલા દિવસ સુધી બોર્ડીમાં ટકે છે. એટલે કે કેટલા દિવસ સુધી આપણે ફરી કોરોના થવાથી બચી શકીએ છીએ. આને લઈને દુનિયામાં અનેક રિસર્ચ થઈ રહ્યા છે. હવે એક રિસર્ચથી જાણવા મળ્યુ છે કે 50 દિવસ બાદ એન્ટીબોર્ડી શરીરમાંથી ખતમ થઈ જાય છે.
રિસર્ચ મુજબ ઝડપથી ઘટી રહી છે એન્ટી બોર્ડી
28 લોકોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો
તેમનામાં એન્ટીબોર્ડી જોવા ન મળી
અંગ્રેજી અખબારના જણાવ્યાનુંસાર મુંબઈના જેજે હોસ્પિટલમાં થયેલા રિસર્ચમાં 801 સ્ટાફને સમાવવામાં આવ્યા હતા. કે જે કોરોનામાંથી સાજા થયા છે. જેમને 7 વીક પહેલા એપ્રિલ અને મેમાં કોરોના થયો હતો. જેમાંથી 28 લોકોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો અને તેમનામાં એન્ટીબોર્ડી જોવા ન મળી. સીરો સર્વે અંતર્ગત ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટથી ખબર પડે છે કે કેટલાકને કોરોના થયો અને સાજા થઈ ગયા.
જે જે હોસ્પિટલમાં 34 લોકો એવા પણ હતા જેમનો ટેસ્ટ કરવામાં આવ્યો. જેમનો 3-5 અઠવાડિયા પહેલા કોરોના થયો હતો. જેમાં 90 ટકા દર્દીમાં જોવા મળ્યું કે તેમનામાં ફક્ત 38.8 ટકા એન્ટીબોર્ડી બચી હતી. સ્ટડીની આ બાબતો ઈન્ટરનેશનલ જનરલ ઓફ કમ્યુનિટી મેડિસિનના સપ્ટેમ્બરના અંકમાં છપાઈ હતી.
આ પહેલા ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં એન્ટીબોર્ડીઝની સ્ટડી કરવામાં આવી હતી. લક્ષણો દેખાવાના લગભગ 37 દિવસો પહેલા નમૂના લેવામાં આવ્યા હતા અને બીજા નમૂના ત્રણ મહિના પહેલા થનારા 86 દિવસોની અંદર લેવામાં આવ્યા હતા. શોધકર્તાઓએ આ નમુનાના પરિક્ષણમાં જોયું કે એન્ટીબોર્ડીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે. એન્ટીબોડીનું આ નુકસાન કોરોના વાયરસના ગત વર્જન SARSની સરખામણીએ વધારે ઝડપથી થયું છે.