કોરોના વાયરસને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની તરફથી અનેક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી ચૂકી છે, જેમાં સફાઈ અને સુરક્ષાને લઈને નિર્દેશ આપવામં આવ્યા હતા. પરંતુ આ વખતે પહેલીવખત ખાનપાનને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. તો જાણી લો કઈ રીતે તમે પણ WHOની માર્ગદર્શિકાને ફોલો કરી શકશો.
WHO જાહેર કરી ગાઈડલાઈન
ખાનપાનને લઈને પહેલી ગાઈડલાઈન જાહેર કરી
આ મુદ્દાઓને ગાઈડલાઈનમાં અપાયું મહત્વ
કાચું અને પકવેલું ભોજન અલગ રાખો
કાચું મીટ, ચિકન કે સી ફૂડ્,ને અન્ય ખાદ્ય પદાર્થોથી અલગ રાખો. કાચા ભોજનને માટે સામગ્રી અને વાસણ પણ અલગ રાખો. કાચા ભોજનમાં વપરાતા કટિંગ બોર્ડ્સ અને ચપ્પાનો ઉપયોગ અન્ય ભોજન બનાવવામાં ન કરો. કાચા અને પાકા ભોજનની વચ્ચે સમય રાખો.
શા માટે છે જરૂરી?
કાચા ભોજનમાં વિશેષ કરીને નોન વેજ, પોલ્ટ્રી અને સી ફૂડ્સ અને તેના જ્યૂસમાં સૂક્ષ્મજીવ હોય છે. ખાવાનું બનાવતી સમયે એકથી અન્ય ભોજનમાં જઈ શકે છે. તેથી ખાવાનું અલગ રાખવું.
ખાવાનું સારી રીતે પકવો
ખાવાનું સારી રીતે પકવો તે ખાસ જરૂરી છે. તેમાં પણ ખાસ કરીને મીટ, ઈંડા, પોલ્ટ્રી અને સી ફૂડ્સ. તેમને 70 ડિગ્રી સેલ્સિયસ પર ધીરે ધીરે ઉકાળીને પકવો. તેનો સૂપ બનાવતા ધ્યાન રાખો કે તે ગુલાબી ન દેખાય. બન્યા બાદ તેનો રંગ સાફ દેખાવવો જોઈએ. તાપમાન ચેક કરવા માટે તમે થર્મોમીટરનો પણ ઉપયોગ કરી શકો છો. પકવેલા ભોજનને પહેલાં એક વાર તેક કરો પછી ખાઓ.
શા માટે છે જરૂરી?
ભોજન સારી રીતે પકવવામાં આવે તો તેના કીટાણુ નાશ પામે છે. રિપોર્ટમાં સાબિત થયું છે કે 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર પકવેલું ખાવાનું સુરક્ષિત રહે છે. જેની પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે તે છે કીમા, મીટ અને પોલ્ટ્રી ફૂડ.
ભોજનને લઈને સુરક્ષિત રાખો તાપમાન
રૂમ ટેમ્પ્રેચર પર પકવેલું ભોજન 2 કલાકથી વધારે સમય ન રાખો. તેને યોગ્ય તાપમાને ફ્રિઝમાં રાખો. ભોજન પીરસતા પહેલાં તેને 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો. ખાવાનાને ફ્રિઝમાં વધારે સમય માટે ન રાખો.
શા માટે છે જરૂરી?
રુમના તાપમાને રાખેલા ખાવાનામાં સૂક્ષ્મજીવ ઝડપથી ફેલાય છે. 5 ડિગ્રીથી ઓછા અને 60 ડિગ્રીથી વધારે તાપમાનમાં આ સૂક્ષ્મજીવ ઉદ્દભવવાનું બંધ થાય છે. કેટલાક ખતરનાક કીટાણુ 5 ડિગ્રીથી ઓછા તાપમાન પર બને છે.
ચોખ્ખા પાણીનો કરો ઉપયોગ
પીવાના અને ખાવાનું બનાવવામાં ઉપયોગમાં સાફ પાણીને વાપરો તે જરૂરી છે. થઈ શકે તો પાણીને પીતાં પહેલાં ઉકાળી લો એ જરૂરી છે. શાક અને ફળને સારી રીતે ધોઈ લો. તાજા અને પૌષ્ટિક ખાદ્ય પદાર્થો ઉપયોગમાં લો. સુરક્ષાને માટે પાશ્ચરાઈઝ્ડ મિલ્ક સારા રહે છે. એક્સપાયરી ડેટ પછી કોઈ પણ ફૂડ ન વાપરો એવી સલાહ છે.
શા માટે છે જરૂરી?
રો ફૂડ એટલે કે પાણી અને બરફમાં પણ અનેક વાર સૂક્ષ્મજીવ મળી આવે છે જે પાણીને ઝેરી બનાવે છે. કાચા ખાદ્ય પદાર્થની ખરીદી સાવધાની સાથે કરો. તેમને સારી રીતે ધોઈને છોલીને પછી સુધારો. જેથી તેમાંથી કીટાણુ નાશ પામે.