પંજાબના અમૃતસરમાં કોરોના વાયરસ (Coronavirus) ના બે કેસ સામે આવ્યા છે. આ પ્રકારે દિલ્હી, તેલંગાણા બાદ ભારતના વધુ એક રાજ્યમાં કોરોના વાયરસે દસ્તક આપી છે. દિલ્હીમાં થયેલા આ ટેસ્ટમાં બે યુવકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અમૃતસરની મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ રમન શર્મા મુજબ આ બંને લોકો 3 તારીખે દિલ્હીમાં ફ્લાઇટ દ્વારા અહીં આવ્યા હતા.
પંજાબના અમૃતસરમાં કોરોના વાયરસના બે કેસ સામે આવ્યા છે
દિલ્હી, તેલંગાણા બાદ ભારતના વધુ એક રાજ્યમાં કોરોના વાયરસે દસ્તક આપી
આ બંને લોકો 3 તારીખે દિલ્હીમાં ફ્લાઇટ દ્વારા અહીં આવ્યા હતા
તેઓને એરપોર્ટથી સીધા અમૃતસરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ આ બંને યુવક ઇટલીથી ભારત પહોંચ્યા હતા.
ઇટલીથી દિલ્હી આવ્યા હતા પીડિત
કોરોના વાયરસથી પીડિત આ બંને યુવક હોશિયારપુરના રહેવાસી છે. હોસ્પિટલે કહ્યું છે કે દિલ્હીની લેબમાં તેમના બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલાયા હતા. અહીં તેમની રિપોર્ટ પોઝિટિવ આવી છે. હવે તેમના સેમ્પલ પૂણે મોકલાયા છે. પૂણેથી તેમની રિપોર્ટ આજે આવી શકે છે.
અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા 31 હતી. પંજાબમાં બે મામલાઓની પુષ્ટીની સાથે જ દેશમાં કોરોના વાયરસથી પીડિતોની સંખ્યા 33 થઇ ગઇ છે.
ચીનમાં શુક્રવાર સુધીમાં 28 લોકોના મોત
દુનિયાભરમાં કોરોના વાયરસથી પીડિતોની સંખ્યા 1 લાખને પાર કરી ગઇ છે. ચીનથી શરૂ થયેલો કોરોના વાયરસ દુનિયાના 97 દેશોમાં ફેલાઇ ગયો છે. જૉન હૉપકિંસ કોરોના વાયરસ ટ્રેકર મુજબ કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 1 લાખ 2 હજાર 180 લોકો પીડિત છે. તેમાંથી ચીનમાં 80,651 લોકો કોરોના ગ્રસ્ત છે. ચીનમાં શુક્રવારે આ બીમારીથી 28 લોકોના મોત થયા છે. આ સાથે જ ચીનમાં મરનાર લોકોની સંખ્યા 3070 થઇ ગઇ છે. દુનિયાભરમાં કોરોના વાયરસથી મરનારા લોકોની સંખ્યા 3400ને પાર પહોંચી ગઇ છે.
ઇટલીમાં 49ના મોત
ચીન બાદ ઇટલી કોરોના વાયરસથી સૌથી વધારે ગંભીર રૂપે પ્રભાવિત દેશ છે. ઇટલીમાં 4636 લોકો કોરના વાયરસથી પીડિત જોવા મળ્યા છે. તેમાંથી 197 લોકોના મોત થઇ ચૂક્યા છે. શુક્રવારે ઇટલીમાં 49 લોકોના મોત કોરોના વાયરસથી થયા છે.