અમદાવાદમાં કોરોના સંકટ ઘેરાતું જાય છે. દિવસેને દિવસે 500થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારોની નવી યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં અમદાવાદના 6 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મળી મુક્તિ આપવામાં આવી છે.
અમદાવાદના માઈક્રો કન્ટેન્ટમેંટ વિસ્તારોની નવી યાદી
ઉલ્લેખનીય છે કે, અસારવાની પ્રાંકુજ સોસાયટી, શાહીબાગની વિષ્ણુકુંજ, રાણીપની શુકુન સીટી, સાબરમતીની કેશવકુંજની બાદબાકી થઇ છે. તેમજ થલતેજની સ્થાપત્યા કુંજ સોસાયટી, બોડકદેવની સેટેલાઇટ સેન્ટરને માઈક્રો કન્ટેઇનમેન્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે.
નવા 2 વિસ્તારનો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની કરાઇ જાહેરાત
તો આ સાથે જ તેમજ અન્ય બે વિસ્તારોને નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યાં છે. શહેરમાં હાલ 4૦ માઈક્રોકન્ટેન્ટમેન્ટ વિસ્તારો છે. અને અગાઉ અમદાવાદમાં 44 વિસ્તારોનો યાદીમાં સમાવેશ હતો.
હાલમાં અમદાવાદ શહેરમાં કુલ ૪૪ માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર અમલમાં છે. જે પૈકી આજ રોજ નીચે જણાવેલ ૬ માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારને દુર તેમજ ૨ વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જેની વિગતવાર માહિતી નીચે મુમ્બ છે.#AmdavadAMCpic.twitter.com/AGyVVI7eOo
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) June 30, 2020
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 620 નવા કેસ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા પ્રમાણે ગત ચોવીસ કલાકમાં 620 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 32,643 પહોંચ્યો છે.
આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 422 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 23670 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 20 લોકોના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 1848 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
કોરોનાએ અમદાવાદની જેમ હવે સુરતને પણ બાનમાં લીધું
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 199 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 183 અને સુરત જિલ્લામાં 16 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 4,829 પર પહોંચ્યો છે.
હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 197 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 182 અને અમદાવાદ જિલ્લામાં 15 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 20,913 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 137 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 15,966 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 9 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1,441 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3506 એક્ટિવ કેસ છે.