ગુજરાતમાં વધતા કોરોનાના કહેર વચ્ચ સરકારી તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા મેડિકલ સ્ટાફ જેમ કે ડોકટરો અને પેરામિડકલ સ્ટાફની ભરતી કરવામાં આવી રહી છે. આ સાથે અમદાવાદ શહેરમાં કોરોનાને લઇને ડોકટર સ્ટાફ ક્રિટિકલ કેસોમાં કેવી રીતે કાળજી રાખવી તેની માહિતી આપશે.
કોરોનાને લઈને રાજ્યમાં વધતા કહેરનો મામલો
ક્રિટીકલ કેસોમાં કેવી રીતે કાળજી રાખવી તેની અપાશે માહિતી
રાજ્યમાં કુલ 800 ડોક્ટરોને અપાશે ટ્રેનિંગ
ઉલ્લેખનીય છે કે ગઇ કાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઇકાલે હંગામી ધોરણ માટે કોરોનાના સામેની જંગ માટે ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફની ભરતી યોજવામાં આવી હતી. ત્યારે હવે કોરોના વાયરસને લઇને શહેરના ડોકટર સ્ટાફ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત મળતી માહિતી મુજબ કોરોનાને લઇને વધતા કહેર મામલે ડોકટર સ્ટાફે ક્રિટીકલ કેસોમાં કેવી રીતે કાળજી રાખવી તેની માહિતી આપશે. જેને લઇને શહેરમાં કુલ 800 ડોકટરોને ટ્રેનિંગ આપવામાં આવશે.
અમદાવાદમાં તંત્ર દ્વારા દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે ડોકટરોની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવશે. તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા આ ટ્રેનિંગમાં ફિજોયથેરાપિસ્ટ, નર્સ, ડોકટરોને ટ્રેનિંગ આપવામાં આવશે.