ચીન, ઈરાન અને ઇટાલીમાં ફેલાયાલા કોરોના કહેર વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ પણ કોરોના વાયરસને મહામારી જાહેર કર્યો છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ભારતે વિદેશથી આવતા લોકોના વિઝા પર 15 એપ્રિલ સુધી પ્રતિંબધ લાદી દીધા છે. આ પ્રતિબંધ મુત્સદ્દી અધિકારીઓ, સંયુક્ત રાષ્ટ્રના કર્મચારીઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને છૂટ આપશે. આ પ્રતિબંધ 13 માર્ચ 2020 થી અમલમાં આવશે.
સરકારે એમ પણ કહ્યું છે કે ભારતીય નાગરિકોને કડક સલાહ આપવામાં આવી છે કે તેઓ બિનજરૂરી વિદેશ યાત્રા ન કરે. જો તેઓ કોઈપણ જગ્યાએથી પાછા મુસાફરી કરે છે, તો પછી તેમને ઓછામાં ઓછા 14 દિવસ લોકોથી દૂર રાખવામાં આવી શકે છે.
WHO એ મહામારી જાહેર કરી
વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું છે કે, 'અમારા આકારણી મુજબ, COVID- 19 હવે મહામારી બની ચૂક્યો છે. આરોગ્ય સંસ્થાઓ આ વાયરસના ફેલાવા અંગે ચિંતિત છે. તે ખતરનાક સ્તરે પહોંચી રહ્યું છે.
સરકારે એડવાઇઝરી જાહેર કરી
સરકાર વતી કહેવામાં આવ્યું છે કે, વિદેશી વ્યક્તિ જે પણ ભારત આવવાની ઇચ્છા રાખે છે, પહેલા ભારતીય દૂતાવાસનો સંપર્ક કરો. તમામ ભારતીય નાગરિકો અને વિદેશી નાગરિકોને સૂચના આપવામાં આવે છે કે જો ખૂબ જ મહત્વપૂર્ણ ન હોય તો બિનજરૂરી મુસાફરી ન કરો. જો તેઓ ભારત આવે છે, તો તેઓને લોકોની અલગ દેખરેખ હેઠળ 14 દિવસ માટે રાખી શકાય છે.
કર્ણાટકમાં કોરોના વાયરસથી પહેલું મોત
વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે ભારતમાં કર્ણાટકમાં કોરોના વાયરસથી પહેલું મોત થયું છે એવા સમાચાર મળી રહ્યા છે. વિશ્વભરમાં કોરોનાવાયરસથી મોતનો આંકડો 3500 વટાવી ગયો છે અને આશરે 100000 જેટલા લોકોને ઇન્ફેક્શન લાગ્યું છે.