હાલના દિવસોમાં કોરોના વાયરસને કારણે તમામ લોકો પરેશાન છે. આ વાયરસના કારણે દુનિયાભરના 3000થી વધારે લોકોની મૃત્યુ થઇ ચૂકી છે,ત્યારે સક્રમિત દર્દીઓની સંખ્યા દુનિયાભરમાં વધીને 1,01,927 થઇ ગઇ. જોકે ભારતમાં જ હવે કોરોના વાયરસની સક્રંમિત દર્દીઓની સંખ્યા 40 થી વધારે થઇ ગઇ છે. આ વચ્ચે બોલિવુડના સ્ટાર્સ કોરોના વાયરસને લઇને સતત સલાહ આપી રહ્યા છે.
બોલિવુડ એક્ટર અક્ષય કુમારે પણ પોતાના ફેન્સને કોરોના વાયરસથી બચવા માટે સલાહ આપી છે. અક્ષય કુમારે તાજેતરમાં ન્યૂઝી એજન્સી સાથે વાત કરતા કહ્યુ કે, લોકોને સતત સ્વચ્છતા રાખવા જોઇએ. કોરોના વાયરસે ગત ડિસેમ્બરથી ચીનના વુહાન શહેરમાં ફેલાવવાનું શરૂ કર્યુ હતુ અને તેનાથી ચીનમાં 3000 થી વધારે લોકોની મૃત્યુ થઇ છે. COVID-19 ની કારણે દુનિયાભરમાં ઘણા ક્રાયક્રમો રદ્દ કરવામાં આવ્યા છે જેમાં ફિલ્મ સમારોહ અને સંગીતના કાર્યક્રમ પણ શામેલ છે.
અક્ષય કુમારે કહ્યુ કે, કોરોના વાયરસને કારણે હોલિવુડની ફિલ્મ જેમ્સ બોન્ડની ફિલ્મ નો ટાઇમ ટૂ ડાઇને નવેમ્બરમાં રિલીઝ કરવાની વાત કરી છે. આ સિવાય અક્ષયે કહ્યુ કે, બોલિવુડ પર પણ તેની અસર થઇ છે પરંતુ કેટલી છે તે કહેવુ મુશ્કેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, લોકોએ ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવુ જોઇએ અને સુરક્ષા ઉપાયોને ગંભીરતાથી લેવા જોઇએ.
અક્ષયે કહ્યુ કે, કોરોના વાયરસને નિપટવા માટે સ્વચ્છતાનું ધ્યાન રાખવુ જરૂરી છે. દરેક લોકોએ સાવધાની રાખવી જોઇએ. તમામ લોકોએ હાથ મીલાવવાની જગ્યાએ હાથ જોડીને અભિવાદન કરવુ જોઇએ. COVID-19 ને રોકવા માટે પબ્લિક ફંક્શનમાં જવાથી બચવુ જોઇએ.
અક્ષય કુમાર તથા રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’નું ટ્રેલર રિલીઝ થયું ગયુ. રોહિત શેટ્ટીની આ ચોથી ફિલ્મ કોપ યુનિવર્સ પર આધારિત છે. આ પહેલાં રોહિત શેટ્ટીએ ‘સિંઘમ’, ‘સિંઘમ રિટર્ન્સ’ તથા ‘સિમ્બા’ બનાવી હતી. ફિલ્મમાં અક્ષય-કેટરીના ઉપરાંત ગુલશન ગ્રોવર, અભિમન્યુ સિંહ, નિહારિકા રાયઝાદા, જેકી શ્રોફ, સિકંદર ખેર, નિકીતીન ધીર તથા વિવાન ભતેના છે. ફિલ્મમાં અજય દેવગન તથા રણવીર સિંહ સ્પેશિયલ રોલમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ‘સિમ્બા’ના ક્લાઈમેક્સમાં ‘સૂર્યવંશી’ની જાહેરાત કરવામાં આવી હતી.