દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના વિશેષજ્ઞોએ બુધવારે કહ્યું કે કોરોના ન ફક્ત ફેફસાને અસર કરે છે બલ્કે તમામ અંગોને અસર કરે છે. પ્રારંભિક લક્ષણ છાતીના દુઃખાવાની ફરિયાદથી બિલકુલ અલગ હોઈ શકે છે.
તેમને ફેફસાની જગ્યાએ અન્ય જીવલેણ સમસ્યાઓ હતી
નેશનલ ક્લીનિકલ ગ્રાઉન્ડ રાઉન્ડ્સમાં ફેફસાઓ પર થનારા જટિલતાઓ પર ચર્ચા કરી
પ્રારંભિક લક્ષણ છાતીના દુઃખાવાની ફરિયાદથી બિલકુલ અલગ હોઈ શકે છે
તેમણે એ વાત પર ભાર મૂક્યો છે કે અન્ય અંગોને સામેલ કરવા માટે બસ શ્વાસના લક્ષણોના આધારે હલ્કા, મધ્યમ અને ગંભીર શ્રેણીઓમાં મામલાના વર્ગીકરણ પર ફરી વિચાર કરવાની જરુર છે. એમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા, સ્નાયૂ વિભાગના પ્રમુખ ડૉ. એમ વી પદ્મા શ્રીવાસ્તવ, હૃદય ચિકિત્સા વિજ્ઞાન વિભાગના પ્રોફેસર ડૉ. અંબુજ રાય, મેડિસીન વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. નીરજ નિશ્ચલ સહિત સંસ્થાનના વિશેષજ્ઞોને નીતિ આયોગ સાથે મળીને આયોજિત પોતાના સપ્તાહિત નેશનલ ક્લીનિકલ ગ્રાઉન્ડ રાઉન્ડ્સમાં કોરોનાથી ફેફસાઓ પર થનારા જટિલતાઓ પર ચર્ચા કરી.
ગુલેરિયાએ કહ્યું કે અમે કોરોના અંગે વધારેમાં વધારે જાણ્યુ છે અને ત્યારે અમે અહેસાસ કર્યો છે કે આ ફેફસા પર પણ પ્રભાવ પાડે છે. આ મૂળ તથ્ય છે કે આ વાયરસ એસીઈ 2 રિસેપ્ટરથી કોશિકામાં પ્રવેશ કરે છે. એટલા માટે શ્વાસ નળી અને ફેફસામાં મોટા પ્રમાણમાં હોય છે. પરંતુ તે અન્ય અંગોમાં પણ હોય છે અને આ અંતર્ગત તે અન્ય અંગોને અસર કરે છે.
તેમણે કહ્યું કે અમે કેટલાય એવા દર્દી જોય છે જેમના ફેફસામાં ઓછા બલ્કી અન્ય અંગોમાં વધારે સમસ્યા છે. વિશેષજ્ઞોએ અનેક એવા ઉદાહરણ આપ્યા જ્યાં દર્દી લક્ષણ વગરના અથલા હળવા કોરોનાના લક્ષણ વાળા હોય પણ તેમને ફેફસાની જગ્યાએ અન્ય જીવલેણ સમસ્યાઓ હતી.