કોરોના વાયરસ સાથે જોડાયેલી બાબતોનો ખુલાસો દેશની સૌથી મોટી હોસ્પિટલે કર્યો છે. દિલ્હી સ્થિત એમ્સ (AIIMS)ના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે એક સ્વસ્થ માણસે માસ્ક પહેરવાની કોઇ જરૂર નથી. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું કે કોરોના વાયરસ એક હ્યૂમન વાયરસ છે. તેનો જાનવરો સાથે કોઇ લેવા-દેવા નથી. તેઓએ કહ્યું કે નોનવેજ ખાવાથી કોરોના વાયરસ (Coronavirus) થતો નથી.
સ્વસ્થ વ્યક્તિને માસ્ક પહેરવાની કોઇ જરૂર નથી : AIIMS
નોનવેજ ખાવાથી નથી થતો કોરોના વાયરસ
શું આપને માસ્કની જરૂર છે?
એમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોરોના વાયરસથી ડરવાની કોઇ જરૂર નથી. તેઓએ કહ્યું કે એક સ્વસ્થ માણસને માસ્ક પહેરવાની બિલકુલ જરૂર નથી. જો કોઇને શરદી-ખાંસી છે અને તે ઇચ્છે છે કે તેનું ઇન્ફેક્શન અન્ય કોઇને ન થાય તો તે માસ્ક પહેરી શકે છે.
તેઓએ કહ્યું કે એન-95 માસ્ક પણ એ લોકોએ જ પહેરવાની જરૂર છે જે પેશન્ટની સાથે ડીલ કરી રહ્યા છે એટલે કે કોરોના વાયરસના પીડિતોની સારવાર કરી રહ્યા છે. એનો અર્થ એવો થયો કે હેલ્થ કેયર વર્કર્સે માસ્ક પહેરવાની જરૂર છે.
2 મીટર સુધી ફેલાઇ શકે છે કોરોના વાયરસ
ડૉ. ગુલેરિયાએ કહ્યું કે જો કોઇ વ્યક્તિની આસપાસમાં કોઇ વ્યક્તિને કોરોના વાયરસ થયો છે તો તમામ લોકોએ ડરવાની કોઇ જરૂર નથી કેમકે કોરોના વાયરસ (Coronavirus) એક ડ્રૉપલેટ ઇન્ફેક્શન છે જે 2 મીટર સુધી ફેલાઇ શકે છે. તેઓએ કહ્યું કે જો કોરોના વાયરસથી પીડિત કોઇ વ્યક્તિ ખાંસી ખાય છે તો તેનો વાયરસ 2 મીટરના અંતર સુધી હવામાં રહે છે અને જો કોઇ વ્યક્તિ ત્યારે એ હવાને શ્વાસમાં લે છે તો તેને આ ઇન્ફેક્શન થઇ શકે છે. આ વાયરસ દરવાજા, ટેબલ અને એવી કોઇ સપાટી પર હોઇ શકે છે તેથી હાથ ધોતા રહેવા ખુબ જ જરૂરી છે.
આલ્કોહોલથી કોરોના વાયરસને કોઇ લેવા દેવા નથી
એમ્સના ડિરેક્ટરે કહ્યું કે એ કહેવું ખોટુ છે કે દારુ પીવાથી કોરોના વાયરસ ઠીક થાય છે. તેઓએ કહ્યું કે આલ્કોહોલ અને કોરોના વાયરસને કોઇ લેવા-દેવા નથી.
નોનવેજ ખાવાથી કોરોના થવાની કોઇ આશંકા નહીં
નોનવેજ સાથે જોડાયેલી ધારણાઓ દૂર કરતા ડૉ. ગુલેરિયાએ કહ્યું કે કોરોના વાયરસ એક હ્યૂમન વાયરસ છે. તેનો પ્રાણીઓ સાથે કોઇ લેવા-દેવા નથી. તેઓએ કહ્યું કે આ એક માનવીથી અન્ય માનવીને જ થાય છે તેથી નોનવેજ ખાવાથી કોરોના વાયરસ થવાની કોઇ આશંકા નથી.
તામમાન સાથે કોઇ લેવા દેવા નથી
ડૉ. ગુલેરિયાએ કહ્યું કે આ વાયરસ સિંગાપુર જેવા ગરમ દેશોમાં પણ ફેલાઇ રહ્યો છે તો ઇટલી અને સાઉથ કોરિયા જેવા ઠંકા દેશોમાં પણ થયો છે. તેઓએ કહ્યું કે શિયાળામાં આ વાયરસ વધારે સમય સુધી રહી શકે છે પરંતુ જો આપણે પોતાની તરફથી ઇન્ફેક્શન રોકવાના તમામ ઉપાય અજમાવીએ છીએ તો આપણે સુરક્ષિત રહી શકીએ છીએ. કોરોના વાયરસને લઇને હજુ સુધી કોઇ વેક્સીન અને દવા નથી આવી પરંતુ આ એક નવો વાયરસ છે.
તેઓએ કહ્યું કે સોશિયલ મીડિયાને કારણએ આ બીમારીને લઇને ડરનો માહોલ છે. ડૉ. ગુલેરિયા મુજબ કોરોના વાયરસથી મોતનો દર 2 ટકાથી 3 ટકા જ છે, એટલે કે 98 ટકા સ્વસ્થ થઇ શકો છો.