ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો દ્વારા ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલની દાદાગીરી સામે આવી છે. 9 દિવસની કોરોના સારવારની અધધ ફી વસુલી છે. તંત્ર દ્વારા હાઈકોર્ટના કહ્યા બાદ પણ કોઈ એક્શન કેમ નથી લેવાઈ રહ્યા તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. દર્દીનું સારવાર દરમિયાન મોત થયુ છે. હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોની ફી નિયમન કરવામાં આવે તેમ છતાં ખાનગી હોસ્પિટલો દ્વારા મોં માંગી ફી વસુલાઈ રહી છે.
કોરોનાની મહામારીમાં ખાનગી હોસ્પિટલની બેફામ લૂંટ
અમદાવાદમાં આનંદનગરની તપન હોસ્પિટલની બેફામ લૂંટ
કોરોનાના દર્દીના મોત બાદ આપ્યું અધધ બિલ ,9 દિવસની સારવાર બાદ 5 લાખનું બિલ આપ્યું
કોરોનાની મહામારીમાં ખાનગી હોસ્પિટલ દ્વારા હજુ પણ બેફામ ફી વસૂલવામાં આવી રહી છે. અમદાવાદમાં આનંદનગરની તપન હોસ્પિટલ દ્વારા કોરોનાના દર્દીના મોત બાદ અધધ બિલ આપ્યું. હોસ્પિટલે 9 દિવસની સારવાર બાદ 5 લાખનું બિલ પકડાવી દીધું. જ્યારે એક દિવસના 21 હજારનો ખર્ચ હોવા થતા 5 લાખનું બિલ કેવી રીતે આવ્યું તેને લઇ પરિવાર પણ મુશ્કેલીમાં મૂકાયો છે. ત્યારે અહિંયા સવાલ એ છે કે ખાનગી હોસ્પિટલો દ્વારા લેવાતી અધધ ફી પર ક્યારે લગામ લાગશે? કોરોનાના દર્દી પાસેથી કેમ બેફામ રૂપિયા વસૂલી રહી છે ખાનગી હોસ્પિટલો? અને જો એક દિવસના 21 હજારનો ખર્ચ તો 9 દિવસમાં 5 લાખનું બિલ ક્યાંથી આવ્યું?.
સળગતા સવાલ
ખાનગી હોસ્પિટલ પર કેમ દર્દી પાસેથી કરે છે વસૂલી?
કોરોનાના નામે કેમ ખિસ્સા ખંખેરી રહી છે હોસ્પિટલ?
ખાનગી હોસ્પિટલો દ્વારા લેવાતી અધધ ફી પર ક્યારે લગામ લાગશે?
કોરોનાના દર્દી પાસેથી કેમ બેફામ રૂપિયા વસૂલી રહી છે ખાનગી હોસ્પિટલો?
એક દિવસના 21 હજારનો ખર્ચ તો 9 દિવસમાં 5 લાખનું બિલ ક્યાંથી આવ્યું?
કેટલીક ખાનગી હોસ્પિટલો કેમ માનવતા ભૂલી રહી છે?
તંત્ર દ્વારા આવી હોસ્પિટલ સામે કાર્યવાહી કેમ નથી કરાતી?