ભારતમાં કોરોના વાયરસના કેસ 77 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખ 17 હજારને પાર પહોંચી ચૂક્યો છે. તો ગુજરાતમાં પણ કોરોના વાયરસના આંકડા 1.65 હજારને પાર પહોંચ્યા છે. ખાસ કરીને અમદાવાદ સહિત અન્ય મહાનગરોમાં કોરોનાના કેસ વધુ પ્રમાણમાં છે ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં લૉકડાઉન લાગૂ થાય તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
અમદાવાદના રાણીપ વિસ્તારમાં લોકડાઉનનો મેસેજ વાયરલ
ખોટા મેસેજ વાયરલ થતા રાણીપના લોકો થયા ચિંતિત
સરકાર દ્વારા લોકડાઉનનો નથી કરાઈ જાહેરાત
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, અમદાવાદના રાણીપ વિસ્તારમાં લૉકડાઉન લાગ્યું હોવાના મેસેજ વાયરલ થતા રાણીપના લોકો ચિંતિત થયા છે. મહત્વનું છે કે, હાલમાં અનલોક ચાલી રહ્યું છે અને સરકાર દ્વારા લોકડાઉનની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
આ પ્રકારના ખોટા મેસેજને ફોરવર્ડ ન કરવા કરાઇ અપીલ
આપને જણાવી દઇએ કે, અગાઉ સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતુ કે સરકાર દ્વારા હવે દેશના કોઈ પણ વિસ્તારમાં લોકડાઉન જાહેર કરવામાં નહીં આવે. VTVના દર્શકોને અમે અપીલ કરીએ છીએ કે, આ પ્રકારના ખોટા મેસેજને ફોરવર્ડ ન કરો.
અમદાવાદના રાણીપ વિસ્તારમાં લોકડાઉનનો મેસેજ વાયરલ થયો, સરકાર દ્વારા લોકડાઉનનો નથી કરાઈ જાહેરાત. VTV ન્યૂઝ વાયરલ મેસેજને ફોરવર્ડ ન કરવાને કરે છે અપીલ#Ahmedabad#lockdown
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1112 કોરોના વાયરસના પોઝિટિવ કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1112 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,65,233 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 89.31 ટકા થયો છે. રાજ્યમાં કોરોના ટેસ્ટિગની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. રોજના 50 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રાજ્યના વસ્તીને ધ્યાને લેતા રોજ આશરે 815 ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 52,947 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 56,38,392 પર પહોંચ્યો છે.