ગુજરાતમાં કોરોના વાયરસે ઉપાડો લીધો છે. અમદાવાદની સ્થિતિ વધાર ગંભીર છે કારણ કે અમદાવાદમાં કોરોના વાયરસ 6 હજારથી વધુ કેસ નોંધાયા છે. તો સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓનો કુલ આંકડો 9268 થયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં નોંધાયેલા દર્દીઓના વિસ્તારની એક યાદી જાહેર કરી છે.
અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત
જિલ્લામાં કુલ દર્દીઓની સંખ્યા 6 હજારને પાર
રાજ્યમાં કોરોના બન્યો બેકાબૂ
અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 9268 થઇ છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 29 દર્દીઓના આજે મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં દર્દીઓના મૃત્યુ થયા છે.
આજે રાજ્યમાં 316 દર્દીઓ થયાં સાજા
આ સાથે આજ રોજ 315 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધામાં કુલ કોરોનાગ્રસ્ત 3562 લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે.
39 દર્દીઓ વેન્ટિલેટર પર
આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 39 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 5101 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 12297 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 9268 પોઝિટિવ આવ્યા છે તો 113029 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.