ગુજરાતમાં કોરોના સંકટ દિવેસને દિવસે ઘેરું બની રહ્યું છે, દરરોજ વધી રહેલા કોરોનાના આંકડા ખરેખર ચિંતાજનક છે. ત્યારે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા AMC દ્વારા પ્રયાસને વધુ ઝડપી બનાવવામાં આવી રહ્યો છે.
કોરોનાનું સંક્રમણ અટકાવવા AMCના પ્રયાસ
ભીડ નિયંત્રિત કરી કોરોના સંક્રમણ અટકાવવા પ્રયાસ
રવિવારે ખાણી-પીણી અને મોટા માર્કેટ બંધ રહેશે
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મનપા દ્વારા ભીડ નિયંત્રિત કરી કોરોના સંક્રમણ અટકાવવા પ્રયાસ કરાઇ રહ્યાં છે. નોંધનીય છે કે, આજે ખાણી-પીણી અને મોટા માર્કેટ બંધ રહેશે. લૉ-ગાર્ડન ખાતે આજે વેપાર-ધંધા બંધ રહેશે. વેપારીઓ સ્વયંભૂ બંધ રાખે તે માટે પ્રયાસ હાથ ધરાયા છે.
લૉ-ગાર્ડન ખાતે આજે વેપાર-ધંધા બંધ રહેશે
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને સુરતમાં કોરોનાનો કહેર વધુ જોવા મળી રહ્યો છે. વારંવાર અપીલ છતાં નાગરિકો બેદકાર બની રહ્યા છે ત્યારે હવે લૉ-ગાર્ડન ખાતે આજે વેપાર-ધંધા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેથી ભીડ ઓછી થાય અને કોરોનાનો ફેલાવો અટકાવી શકાય.
કોરોનાનું સંક્રમણ રોકવા AMC કરી રહી છે કડક કાર્યવાહી
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ રોકવા AMCએ કડક કાર્યવાહી કરી છે. AMC દ્વારા નવરંગપુરા-વસ્ત્રાપુર વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. HL કોલેજ પાસેનું ચાય સુટ્ટા બાર અને IIM રોડ પર ડેનિસ કોફીબાર સીલ કરવામાં આવ્યું છે. સામાજિક અંતર ન જળવાતા કાર્યવાહી કરવામાં આવી છે. 2 દિવસ પહેલા SG હાઇવે પર કાફે સીલ કર્યા હતા. હાઇકોર્ટના આદેશ બાદ AMCએ કડક કાર્યવાહી હાથ ધરી છે.
ગઇકાલે ગુજરાતમાં નોઁધાયા 1417 કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 61,865 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1417 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,31,808 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 84.90 ટકા છે. આજે દર્દીઓ 1419 સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 111909 પર પહોંચ્યો છે. આજે 13 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3409 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 16490 છે.
આજે મહાનગર રાજકોટમાં 168, સુરતમાં 297, અમદાવાદમાં 195, જામનગરમાં 110 અને વડોદરામાં 136 દર્દીઓ સાજા થયા છે.
આજે 13 દર્દીઓના મોત થયા
આજે કોરોના વાયરસે 13 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 3, રાજકોટમાં 2, વડોદરામાં 2 અને ભાવનગર 1, પાટણ 1, ગીર સોમનાથ 1 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે.
આજે કોરોનાના 61,865 ટેસ્ટ કરવામાં આવ્યા
રાજ્યમાં આજે કુલ 61,865 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 41,72,051 ટેસ્ટ કરવામાં આવ્યા.