ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઇને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આમ રાજ્યમાં ડોકટરો, પોલીસો સહિત રાજનેતાઓ પણ કોરોના ઝપેટમાં આવેલા જોવા મળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ શહેરના કોંગ્રેસ કોર્પોરેટર બદ્દરુદ્દીન શેખનું કોરોના પોઝિટિવના કારણે મૃત્યું થયું હતું.
અમદાવાદના વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત
ધારાસભ્ય બલરામ થાવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
પ્રાપ્ત મળતી વિગત અનુસાર અમદાવાદ શહેરના નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નરોડાના ધારાસભ્ય બરામ થાવાણીમાં કોરોના સંક્રમિત થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 1, 2020
આ અગાઉ શહેર ભાજપ પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદિશ પંચાલને કોરોના પોઝિટવ હોવાનું સામે આવ્યું હતું. જગદીશ પંચાલ કોરોના પોઝિટિવ લઇને એપોલો હોસ્પિટલમાં દાખલ થયા હતા.
કોંગ્રેસના કોર્પોરેટર ઇલાક્ષી પટેલને થયો હતો કોરોના
જ્યારે આ અગાઉ અમદાવાદના વધુ એક કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. શહેરના હાટકેશ્વર-ભાઈપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઈલાક્ષીબેન પટેલને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં કોરોના પોઝિટવ આવતા હવે તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે આ અગાઉ અમદાવાદ શહેરમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને કોર્પોરેટર બદ્દરુદ્દીન શેખને કોરોના પોઝિટિવ સામે આવ્યો હતો. જો કે ઇમરાન ખેડાવાલા કોરોના મુક્ત થયા જ્યારે કોર્પોરેટર બદ્દરુદ્દીન શેખનું કોરોનાને લઇને મૃત્યું થયું હતું.