ગુજરાતમાં કોરોનાના પ્રકોપ વચ્ચે લોકડાઉન4માં રાજ્યો દ્વારા નિયમોમાં રાહત આપવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં આવેલા માધુપુરા માર્કેટ, કાલુપુરનું ચોખા બજાર ખોલવાની તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. કાલુપુરનું ચોખા બજારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પાલન સહિત નવા નિયમો સાથે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજથી માધુપુરા માર્કેટ શરૂ થવાની સાથે જ લોકોની ભારે ભીડ જોવા મળી છે.
અમદાવાદના માધુપુરા માર્કેટમાં લોકોની ભીડ
માધુપુરા માર્કેટમાં ઓડ-ઇવન પદ્ધતિમાં ખુલી દુકાનો
અનાજ અને કરિયાણું લેવા શહેરીજનો ઉમટ્યા
અમદાવાદમાં તંત્ર દ્વારા થોડા દિવસો પહેલા શહેરના સૌથી બે મોટા માર્કેટને શરુ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જેને લઇને બે દિવસથી કાલુપુરમાં આવેલું ચોખા બજાર નવા નિયમો સાથે ધમધમી ઉઠ્યું છે.
અમદાવાદના માધુપુરા માર્કેટમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. માધુપુરા માર્કેટમાં ઓડ-ઇવન પદ્ધતિથી દુકાનો ખોલવામાં આવી છે. ત્યારે અનાજ અને કરિયાણુ લેવા માટે શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. જો કે ભારે ભીડને લઇને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
જ્યારે શહેરમાં લોકડાઉન વચ્ચે માધુપુરા માર્કેટમાં અનાજ અને કરિયાણુ લેવા લોકોની ભીડ જોવા મળી રહી છે.