કોરાનાના એક પછી એક નવા કેસો નોંધાઈ રહ્યા છે. જેમ-જેમ કેસોની સંખ્યામાં વધારો થતો જઈ રહ્યો છે. તેમ-તેમ લોકોમાં ડર વધતો જઈ રહ્યો છે. પરંતુ આ ડર વચ્ચે પણ એવા કેટલાક લોકો છે જે પોતાના જીવને જોખમમાં મુકી આપણા માટે કામ કરી રહ્યા છે.
આ છે સાચા દેવદૂત
કોરોનાના ભય વચ્ચે પણ છે મક્કમ
લોકોને બચાવવા નથી કરતા પોતાના જીવની ચિંતા
બસ સ્ટેન્ડ,રેલવેસ્ટેશન,રસ્તા પર, સોસાટીઓમાં,કોરોનાના ભય વચ્ચે પણ પોતાના જીવને જોખમમાં મુકીને આપણા માટે કામ કરતા આ લોકોને આપણે અત્યાર સુધી આ લોકોને કોઈને કોઈ સમયે ગાળો ભાંડતા આવ્યા છે. તેમની નિંદા કરતા આવ્યા છે. તેમના પર આક્ષેપો લગાવતા આવ્યા છીએ.
જેની આપણે નિંદા કરતા એ લોકો આપણે બચાવવા દોડી આવ્યા છે
પરંતુ જ્યારે આજે આપણે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે તેઓ જ આપણી મદદ માટે મેદાનમાં કુદી પડ્યા છે. આપણે તો આપણો જીવ બચાવવા ઘરમાં ઘૂસીને બેસી ગયા છે. પરંતુ આ લોકો પોતાના જીવની પરવા કર્યા વિના આપણને બચાવવા માટે કામે લાગી ગયા છે.
સફાઇ કર્મીઓ કરી રહ્યા છે સાફ-સફાઇ
આ લોકો બસ અને ટ્રેનનની ખુરસીઓ સાફ કરતા કર્મચારીઓ જેઓ એક-એક સીટ અને પાઈપને સાફ કરી રહ્યા છે. ખુણે-ખુણાને સાફ કરી રહ્યા છે. જેથી કરીને આપણે કોરોનાથી બચી શકીએ. તો ફોગિંગ અને દવાનો છંટકાવ કરતા કર્મચારી જેમને તેના ઘરે પણ તેની કોઈ રાહ જોઈ રહ્યું છે. પરંતુ આજે તેમના માટે ગુજરાતના અને દેશના નાગરીકનો જીવ બચાવવો પહેલું કર્તવ્ય છે અને તે પોતાની ભૂમિકા બખૂબી નિભાવી રહ્યા છે.
આપણે તો માત્ર આપણો જ સ્વાર્થ જોતા આવ્યા છીએ
હોસ્પિટલ હોય, એરપોર્ટ હોય, રિક્ષા સ્ટેન્ડ હોય, બસ હોય.. બસ સ્ટેન્ડ હોય.. ટ્રેન હોય કે, રેલવે સ્ટેશન હોય. દરેક જગ્યા પર આવી જ ચોક્કસાઈથી આ કર્મચારીઓ આપણી સુરક્ષા માટે ખડેપગે છે. આપણે કોરોનાના વાયરસથી બચાવવા માટે મથી રહ્યા છે. પ્રવાસીઓને સેનેટાઈઝરથી હાથ સાફ કરાવી રહ્યા છે. લોકોને માસ્ક આપી રહ્યા છે. લોકોને સ્વચ્છતા જાડવવા માટે કહી રહ્યા છે.
પરંતુ આપણામાંથી આજે દરેક સ્વાર્થી બની ગયા છે. કારણ કે, આપણે માત્ર આપણી સુરક્ષાનું જ વિચારી રહ્યા છે. પરંતુ વીટીવી આપને એક જ અપીલ કરવા માગે છે કે, સ્વાર્થી નહીં નિસ્વાર્થી બનો.. માહોલની ગંભીરતાને સમજો. સરકારના સુચનોને સમજો. તમે સમજશો અને બહાર નહીં નીકળો તો આપણી સુરક્ષા માટે કામ કરતા આ હજારો કર્મચારીઓ પણ સુરક્ષિત રહેશે.. અને ગુજરાત પણ.