એક તરફ કોરોના વાયરસ ગુજરાતમાં આફત બનીને કાળો કહેર વરસાવી રહ્યો છે. અમદાવાદની સ્થિતિ વધારે નાજૂક છે કારણે કે, રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ અહીં નોંધાયા છે ત્યારે સતત વિવાદમાં રહેતી સિવિલ હોસ્પિટલ ફરી એકવખત ચર્ચાનો વિષય બની છે.
સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં વીજળી ગૂલ
કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને ઘટનાને વખોડી
કિડની હોસ્પિટલમાં આવેલ કોવિડ સેન્ટરમાં વીજળી ગૂલ થવાની ઘટના બનતા દર્દીઓ પરેશાન થયાં હતા. ત્યારે કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને આ મુદ્દાને ઉઠાવ્યો હતો.
શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને ઘટનાને વખોડી
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, કોંગ્રેસના પીઢ નેતા શક્તિસિંહ ગોહિલે સિવિલ હોસ્પિટલમાં આવેલ કિડની હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં લાઇટ જવાની ઘટના અંગે ટ્વીટ કર્યું હતું અને તેમણે લખ્યું કે, આ શું થઈ રહ્યુ છે આપણા ગુજરાતમાં ? સિવિલની કિડની હોસ્પિટલ જેને કોરોનાના દર્દીઓ માટે કોવિડ સેન્ટર બનાવવામાં આવેલ છે. અહીં દર્દીઓ વેન્ટીલેટર પર છે અની વીજળી ગૂલ થઇ ગઇ છે. દર્દીઓ પરેશાન થઇ રહ્યા છે. જનરેટર પણ ચાલી રહ્યા નથી.
यह क्या हो रहा है हमारे गुजरात मे ? सिविल की किडनी अस्पताल जिसे COVID अस्पताल कोरोना के मरीज़ के लिए बनाया है । यहाँ मरीज़ वेंटिलेटर पर है ओर अस्पताल मे बिजली चली गई है ! मरीज़ परेशान है । जनरेटर भी नहीं चल रहा है । pic.twitter.com/wP0aF4YlcK
— Shaktisinh Gohil (@shaktisinhgohil) May 31, 2020
એક વીડિયો સંદેશ દ્વારા પણ શક્તિસિંહે વહીવટીતંત્ર પર કર્યા પ્રહાર
શક્તિસિંહ ગોહિલે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સરકારી હોસ્પિટલના ચાલતા અણઘણ વહીવટીતંત્રના કિસ્સા બહાર આવી રહ્યા છે. સિવિલના કિડની વિભાગને કોરોના હોસ્પિટલમાં પરિવર્તિત કરવામાં આવી છે. જ્યાં વેન્ટિલેટર પર દર્દીઓ છે અને વીજળીનો પાવર કટ થતા દર્દીઓ પરેશાન થાય છે. જનરેટર પણ કામ કરતું નથી. આ ખુબજ ચિંતાજનક ઘટના છે.
ગુજરાતમાં સરકારી હોસ્પિટલના ચાલતા અણઘણ વહીવટીતંત્રના કિસ્સા બહાર આવી રહ્યા છે. સિવિલના કિડની વિભાગને કોરોના હોસ્પિટલમાં પરિવર્તિત કરવામાં આવી છે. જ્યાં વેન્ટિલેટર પર દર્દીઓ છે અને વીજળીનો પાવર કટ થતા દર્દીઓ પરેશાન થાય છે. જનરેટર પણ કામ કરતું નથી. આ ખુબજ ચિંતાજનક ઘટના છે. pic.twitter.com/YU30z3AQxy
— Shaktisinh Gohil (@shaktisinhgohil) May 31, 2020
શું બની ઘટના ?
અમદાવાદ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલના કીડની વિભાગના કોવિડ કેર સેન્ટરમાં કલાકો સુધી વીજપુરવઠો ઠપ રહ્યો હતો. નોંધનીય છે કે, વીજ પુરવઠો બંધ થયો હોવા છતાં કલાકો સુધી તંત્રએ કોઈ જ પ્રકારની કાર્વયાહી ન કરી. દર્દીઓ પરેશાન થતા રહ્યા પરંતું સિવિલ હોસ્પિટલ તંત્રના પેટનું પાણી પણ ન હલ્યું. કલાકો સુધી દર્દીઓ ગરમીમાં શેકાતા રહ્યા..