ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં રાજ્યમાં સૌથી વધારે અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. ત્યારે શહેરમાં વધતા પોઝિટિવ દર્દીઓને લઇને અલગ-અલગ જગ્યા પર બેડની સુવિધાઓ તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી રહી છે. જેને લઇને શહેરની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે 1200 પથારીવાળી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ધર્મને આધારિત વોર્ડનો મામલો
ડે. સીએમ કહ્યું કે સરકારે કોઇ આદેશ આપ્યો નથી
સિવિલ હોસ્પિટમાં આ અંગે તપાસ કરાવામાં આવશે
જો કે ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર એક ચોંકાવનારી વિગત સામે આવી છે. જેમાં શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓને લઇને હોસ્પિટલમાં ધર્મને આધારે વોર્ડમાં વહેંચણી કરવાના અહેલાવ પ્રાપ્ત થયા છે. જો કે આ અંગે હજુ કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી.
સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. ગુણવંત રાઠોડે સમાચાર મીડિયા (ઇન્ડિયન એક્સપ્રેસ) સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હિન્દુ-મુસ્લિમ કોરોનાના દર્દીઓ માટે અલગ-અલગ વોર્ડ સરકારે કરેલા આદેશ અનુસાર ઉભા કરવામાં આવ્યાં છે. જો કે આ વાતને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક સમાચાર સાથેની વાતચીતમાં નકારી કાઢી હતી.
જો કે સિવિલના ડોકટરે સમાચાર (મીડિયા) સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે કયારેક મહામારીમાં સામાન્ય રીતે પુરુષ અને સ્ત્રી માટે અલગ વોર્ડ બનાવામાં આવતા હોય છે. જો કે કોરોનાને લઇને હિન્દુ-મુસ્લિમ માટે વોર્ડ ઉભા કરવામાં આવ્યાં છે. જેના અંગે સવાલ પૂછવામાં આવતા ડોકટરે આ અંગે સરકારને પુછવ જણાવ્યું હતું.
રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ધર્મના આધારે વોર્ડ અલગ પાડવામાં આવ્યાં હોય તેવું કાંઇ સામે આવ્યું નથી, તેમ છતાં આ અંગે તપાસ કરાવામાં આશે. આ સાથે શહેરના કલેકટરે પણ આ અંગે કોઇ જાણ નથી તેમ જણાવ્યું હતું.