કોરોના સંકટ / અમદાવાદ શહેરમાં કોરોના બેકાબુ, કુલ કેસનો આંકડો 25,000ની નજીક પહોંચ્યો

Coronavirus ahmedabad city positive case

શહેરમાં કોરોનાનું સંક્રમણ છેલ્લા કેટલાક દિવસથી જાહેર થતા સરકારી આંકડા મુજબ ભલે ઘટયું હોય તો પણ આજની સ્થિતિએ અમદાવાદ શહેર કોરોના મહામારીના મામલે સલામત નથી. શહેરમાં કોરોનાના કેસનો વિસ્ફોટ હવે રપ,૦૦૦ કેસ પાસે જઇ પહોંચ્યો છે. એપ્રિલ અને મે મહિનામાં શહેરમાં કોરોનાનો ફેલાવો તેની ટોચ પર હતો. ખાસ કરીને કોટ વિસ્તાર અને દાણીલીમડા, બહેરામપુરા વિસ્તારમાં કોરોનાએ ભારે હાહાકાર મચાવ્યો હતો. સદનસીબે અત્યારે કોરોનાનો એવો આતંક નજરે પડતો નથી, પરંતુ શહેરમાં કોરોના અટકવાનું નામ લેતો ન હોઇ અનલોક-૩માં પણ નાગરિકોને વિશેષ છૂટછાટ મળે તેવી શક્યતા નથી.

બ્રેકિંગ ન્યૂઝ