અમદાવાદમાં કોરોનાને લઇને રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવ આંકમાં ઘટાડો જોવા મળ્યો છે. શહેરમાં પહેલા કરતા હાલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
અમદાવાદમાં કોરોનાને લઇને રાહતના સમાચાર
અમદાવાદમાં કોરોના પોઝિટિવ આંક ઘટ્યો
108માં કોરોનાના કેસના ફોન કોલ્સમાં ઘટાડો
ઉલ્લેખનીય છે કે, 108માં કોરોનાના કેસના ફોન કોલ્સ આવતા હતા તેમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. કોરોના મહામારીમાં 108એ મહત્વની ભૂમિકા ભજવી રહી છે...રાજ્યભરમાં કોરોના સંક્રમિત દર્દીઓ 108 મારફતે આઇસોલેટ સેન્ટર અથવા હોસ્પિટલ પહોંચાડે છે.
આપને જણાવી દઇએ કે, દિવાળી બાદ 108 પર 4 હજાર જેટલા કોલ આવતા હતા. જેમાં 20 દિવસથી ઘટાડો થયો છે. અમદાવાદ GVK ઇમરજન્સીના COO જશવંત પ્રજાપતિએ કહ્યું કે, અમદાવાદમાં હાલ કોરોના કંટ્રોલમાં છે. દિવાળી બાદ વધારે કેસ આવતા હતા. જેમાં હાલ ઘટાડો થયો છે.
કોરોના વાયરસ સંક્રમણના 685 નવા કેસ
8 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 685 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાહતના સમાચાર છે કે રિકવરી રેટ વધ્યો છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે મહાનગરોમાં પણ કોરોનાના કેસ 150થી ઓછા નોંધાયા છે.
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 685 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 250,598 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 95.05 ટકા થયો છે. તો ગુજરાતમાં આજે 49,952 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 1,00,53,558 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.
રાજ્યમાં 9 હજારથી ઓછા એક્ટિવ કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 892 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,38,114 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 8149 એક્ટિવ કેસ છે. જેમાંથી 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં આજે 3 દર્દીના મોત
આજે કોવિડ-19થી 3 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4335 થઇ ગઇ છે. આજે અમદાવાદમાં 2 અને તાપીમાં 1 આમ 24 કલાક દરમિયાન કુલ 3 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થઇ રહ્યા છે.