ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કોરોનાને લઇને ભયંકર અસર જોવા મળી રહી છે. ત્યારે શહરેના પૂર્વ વિસ્તારમાં કોરોનાને લઇને વધારે કેસો જોવા મળી રહ્યાં છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલો હાટકેશ્વરથી મણિનગરને જોડતો ગુરૂજી બ્રિજ બંધ કરાયો છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધુ એક બ્રિજ બંધ
હાટકેશ્વરથી મણિનગરને જોડતો ગુરૂજી બ્રિજ કરાયો બંધ
બ્રિજ બંધ હોવાથી વાહનચાલકો પરેશાન
અમદાવાદ શહેરમાં કોરોનાને લઇને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. શહેરના મણીનગર વિસ્તારને તંત્ર દ્વારા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે ત્યારે આ વિસ્તારમાં આવેલ હાટકેશ્વરથી મણિનગરને જોડતો ગુરૂજી બ્રિજ બંધ કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં આવેલા પૂર્વ વિસ્તારમાં વધુ એક બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. હાટકેશ્વરથી મણિનગરને જોડતો ગુરુજી બ્રિજ બંધ કરવામાં આવ્યો છે.
આ બ્રિજ બંધ કરી દેવામાં આવવાથી લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. શહેરના કન્ટેનમેન્ટ ઝોન ગણાતાં મણિનગરમાં પ્રવેશ અટકાવવા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે.