ગત 1 દિવસમાં 10, 229 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત 11, 926 લોકો સાજા થયા છે અને 125 લોકોના મોત થયા છે.
ગત 1 દિવસમાં 10, 229 નવા કેસ નોંધાયા
24 કલાકમાં 11, 926 લોકો સાજા થયા
મોતના આંકડામાં ઘટાડો નોંધાયો છે, 1 દિવસમાં 125 લોકોના મોત
ગત 1 દિવસમાં 10, 229 નવા કેસ નોંધાયા
દેશમાં તહેવારની સિઝનમાં મળેલી છુટછાટ અને લોકોના મન મુકીને બહાર નિકળવા છતાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો આવ્યો છે. આ રાહતના ચાલતા એ શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે કદાચ કોરોનાની ત્રીજી લહેર દેશમાં હવે નહીં આવે. સોમવારે આવેલા આંકડામાં ગત 1 દિવસમાં 10, 229 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત 11, 926 લોકો સાજા થયા છે અને 125 લોકોના મોત થયા છે. કોરોનાના નવા કેસોની સંખ્યા રિકવરી થયેલા લોકોની સંખ્યા કરતા સતત ઓછી થઈ રહી છે અને આનાથી એક્ટિવ મામલામાં ઝડપથી ઘટાડો આવી રહ્યો છે.
એક્ટિવ કેસોની સંખ્યા ગત 523 દિવસ એટલે કે દોઢ વર્ષના સૌથી નીચલા સ્તર પર
હાલમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 1, 34, 096 રહી ગઈ છે. જે ગત 523 દિવસ એટલે કે દોઢ વર્ષના સૌથી નીચલા સ્તર પર છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 3.38 કરોડ લોકો કોરોનામાંથી સાજા થઈ ચૂક્યા છે. કોરોના સંક્રમણની સ્પીડમાં ઘટાડાનું એક કારણ રસીકરણ માનવામાં આવી રહ્યું છે. હાલમાં જ એક અરબ રસીના લક્ષ્યને પાર કર્યા બાદ દેશમાં રસીકરણ અભિયાનમાં ઝડપથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં 1.12 અરબથી વધારે કોરોનાની રસી લગાવી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશ આ મામલામાં સૌથી આગળ છે. જ્યારે મહારાષ્ટ્રે રસીકરણના મામલામાં 10 કરોડનું લક્ષ્ય પાર કરી દીધું છે.