દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જોકે એવો દાવો કરી શકાય નહીં કે આ ઘટાડો સ્થાયી છે કે અસ્થાયી. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આધારે છેલ્લા દોઢ મહિનામાં પહેલીવાર એક્ટિવ કેસની સંખ્યા 8 લાખની નીચે પહોંચી છે. ભારતમાં મૃત્યુદર પણ સતત ઘટી રહ્યો છે. હાલના આંકડા 1.52 ટકાનો છે. જે 22 માર્ચ 2020 બાદ સૌથી ઓછો છે.
સક્રિય કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં સક્રિય કેસમાં કુલ પોઝિટિવ કેસ 10.92 ટકાથી પણ ઓછા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા હવે 795087 થઈ છે. જ્યારે 6524595 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં કુલ 112998 દર્દીઓના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 62212 નવા કેસ સામે આવ્યા છે. સાતે જ કોરોનાના કુલ કેસ 74,32,681 ને પાર પહોંચ્યા છે.
भारत में कोरोना वायरस के सक्रिय मामले 1.5 महीनों में पहली बार 8 लाख के नीचे आए: स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय #COVID19
કોરોના પ્રબંધન માટે અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રયાસને મજબૂત કરવા માટે ચાલી રહેલા પ્રયાસના રૂપમાં કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મુલાકાત પણ લેવાઈ રહી છે. આ દળ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. જેથી આવનારી ગતિવિધિઓને મજબૂત કરી શકાય અને જે પણ મુશ્કેલીઓ આવે તેને દૂર કરી શકાય.
છેલ્લા ર૧ કરતાં વધુ દિવસમાં કોરોનાના કેસમાં સૌથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ અગાઉ પણ ર૧ સપ્ટેમ્બરે ર૮,૬પ૩ કેસ ઘટયા હતા. અત્યાર સુધીમાં કોરોનાના ૬ર.ર૪ લાખ કરતાં વધુ દર્દીઓ સાજા થઇ ગયા છે. આમ એક બાજુ કોરોનાના નવા અને એક્ટિવ કેસો સતત ઘટી રહ્યા છે અને બીજી બાજુ કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. એજ રીતે કોરોના સંક્રમિતોના મૃત્યુનો દર પણ સતત ઘટી રહ્યો છે. તાજેતરમાં કોરોનાના નવા દર્દીનો આંક ઘટીને પપ,૦૦૦ પર આવી ગયો હતો. આ પરથી સ્પષ્ટ છે કે કોરોના સામેના જંગમાં ભારતની મહેનત હવે રંગ લાવી રહી છે.
ભારતમાં રિકવરી રેટ ૮પ ટકા કરતાં વધી ગયો
કોરોનાના આંકડાઓ જોતાં ભારતમાં રિકવરી રેટ ૮પ ટકા કરતાં વધી ગયો છે. ભારતમાં હાલ ૮,૩૮,૭ર૯ એક્ટિવ કેસ છે જેનો હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં કોરોના વાઇરસના એક્ટિવ કેસ, મૃત્યુદર અને રિકવરી રેટ સૌથી વધુ છે ભારતનાં સૌથી મોટાં રાજ્ય ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓના સાજા થવાનો દર સતત વધી રહ્યો છે અને તેની સામે સંક્રમણનો દર સતત ઘટી રહ્યો છે. આજ કારણસર કોરોનાના એક્ટિવ કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.