ગત 24 કલાકમાં આ કોરોનાના 16 હજાર કેસ સામે આવ્યા છે.
આજે કોરોનાના 16, 862 કેસ નોંધાયા
એક્ટિવ કેસનોની સંખ્યા પણ કુલ મામલાના કુલ એક ટકા
દેશમાં 2, 03, 678 એક્ટિવ કેસ
આજે કોરોનાના 16, 862 કેસ નોંધાયા
ભારતમાંથી હાલ કોરોનાની અસર ઓછી થતી જોવા મળી રહી છે. ગત 24 કલાકમાં આ કોરોનાના 16 હજાર કેસ સામે આવ્યા છે. વિજ્યાદશમીના પ્રસંગ પર કેસની આટલી ઓછી સંખ્યા એવું દર્શાવે છે કે ભારતમાં કોરોના દહન થવાનું છે. ભારતમાં આજે કોરોનાના 16, 862 કેસ નોંધાયા છે. આ ઉપરાંત દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા પણ સતત ઓછી થતી નજરે આવી રહી છે. વર્તમાનમાં અહીં 2 લાખની નજીક એક્ટિવ કેસ છે.
એક્ટિવ કેસનોની સંખ્યા પણ કુલ મામલાના કુલ એક ટકા
દેશમાં એક્ટિવ કેસનોની સંખ્યા પણ કુલ મામલાના કુલ એક ટકા છે. આ માર્ચ 2020 બાદથી સૌથી ઓછા છે. રાહતની વાત એ છે કે દર રોજ જેટલા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે તેનાથી વધારે લોકો સાજા થઈ રહ્યા છે. ગત 24 કલાકમાં 19, 391 લોકો કોરોનામાંથી સાજા થઈ ચૂક્યા છે. જે બાદથી કોરોનાથી સાજા થનારા કુલ મામલાની સંખ્યા 3,33 82, 100 સુધી પહોંચી ચૂકી છે.
દેશમાં 2, 03, 678 એક્ટિવ કેસ
ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા પણ સતત નીચે આવી રહી છે. હાલમાં દેશમાં 2, 03, 678 એક્ટિવ કેસ છે. જે 216માં સૌથી ઓછા છે. આ ઉપરાંત અઠવાડિક પોઝિટિવિટી રેટ 3 ટકાની નીચે છે. આ 1.42 ટકા છે. જ્યારે ગત 112 દિવસમાં સૌથી ઓછા છે. ત્યારે દૈનિક પોઝિટિવિટી રેટ પણ 1.43 ટકા છે.
અત્યાર સુધી 97.14 કરોડ રસી અપાઈ
આ ઉપરાંત દેશભરમાં કોરોના મામલાની ઓળખ કરવા માટે ટેસ્ટિંગ જારી છે. જે અંતર્ગત અત્યાર સુધી 58.88 કરોડ લોકોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. આની સાથે દેશના લોકોને કોરોનાથી સુરક્ષા આપવા માટે દેશભરમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધી 97.14 કરોડ રસી અપાઈ ચૂકી છે.