ગુજરાતમાં શનિવારે કોરોનાના 37 નવા કેસ નોંધાયા છે, અમદાવાદ અને સુરતમાં ફરી કોરોના ચિંતા વધારી રહ્યો છે.
સુરતમાં કોરોનાએ વધારી ચિંતા
પરિવારના 2 બાળકો સહિત 5 પોઝિટિવ
રાંદેર ઝોનમાં જ 7 કેસ પોઝિટિવ
રાંદેર-અડાજણ વિસ્તારમાં આખો પરિવારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક જ પરિવારના 2 બાળકો સહિત 5 લોકો કોરોના સંક્રમિત થયા છે.
એકસામટા 7 લોકો કોવિડ પોઝિટિવ આવતા મચ્યો હાહાકાર
પરિવારના વડીલની ટ્રાવેલ હિસ્ટ્રી પૂણેની છે. વડીલ લગ્નમાં પૂણે ગયા હતા. પરિવારના સભ્યોએ વેક્સિનના બંને ડોઝ લીધા હોવા છતાં પોઝિટિવ આવ્યા છે. ગઇકાલે સુરતમાં 7 કેસ પોઝિટિવ આવ્યા હતા. આ તમામ કેસ રાંદેર ઝોનમાં જ આવ્યા છે. રાંદેર ઝોન ફરી એકવાર તંત્રની ચિંતામાં વધારો કરી રહ્યું છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરતમાં કોરોના કેસનું પ્રમાણ વધી રહ્યું છે આજે વધુ નવા 37 કેસ સામે આવ્યા છે તે સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 226 થઈ ગઈ છે. જોકે કોરોનાને કારણે આજે એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી, તો કોરોનાગ્રસ્ત 6 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે જ્યારે બીજી તરફ 32 દર્દીઓ સાજા પણ થયા છે.
બેદરકારી જોજો ક્યાંક મોંઘી ન પડે
જોવા વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ 8,16,608 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યભરમાં અત્યાર સુધી 10090 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, બીજી તરફ રાજ્ય સરકાર કોરોના વેક્સિનેશ પણ ખૂબ જોરશોરથી ચાલી રહ્યું છે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,26,516 નાગરિકોનું રસીકરણ થયું હતું. આમ રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચી ગયો છે.
આજે રાજ્યમાં કોરોનાના વધુ 37 કેસ નોંધાયા
આજે અમદાવાદ શહેરમાં 10 નવા કેસ સામે આવ્યા છે, તો વડોદરામાં 6, સુરતમાં 8 અને નવસારીમાં 4 કેસ નવા નોંધાયા અને વલસાડમાં 4 કેસ સામે આવ્યા છે. જ્યારે બનાસકાંઠા, ગીર સોમનાથ, મહેસાણા અને પંચમહાર તથા તાપી જિલ્લામાં એક એક કેસ સામે આવ્યો છે. દિવાળીના તહેવાર બાદ અમદાવાદ સહિત મોટા શહેરોમાં કોરોનાના કેસ વધવાની શક્યતાને પગલે અમદાવાદ મ્યુનિ. દ્વારા આગોતરા પગલાંરૂપે ટેસ્ટિંગની સંખ્યા પણ વધારવામાં આવી હતી, જેમાં સામાન્ય રીતે દિવસોમાં થતાં ટેસ્ટિંગ કરતાં બમણાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે, જેમાં આજે 10 નવા કેસ સામે આવ્યા છે.