ગુજરાતમાં છેલ્લા 151 દિવસ એટલે કે 5 મહિના બાદ આજે(7-12-2021)ના રોજ સૌથી વધુ 61 કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં દરરોજ સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાઇ રહ્યા છે.
5 મહિના બાદ આજે સૌથી વધુ કેસ નોંધાયા
રાજ્યમાં નવા 61 કોરોનાના કેસ નોંધાયા
8 જુલાઈના રોજ 62 કેસ આવ્યા હતા
કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટની દહેશત વચ્ચે ગુજરાતમાં આજે ચિંતાજનક કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 61 કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ 372 એક્ટિવ કેસ છે, જેમાં 9 દર્દી વેન્ટિલેટર પર છે અને 363 દર્દીઓ સ્ટેબલ છે. આજે 39 દર્દીઓ સાજા થતા કુલ 8,17,339 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. રાજ્યનો રીકવરી રેટ 98.74 ટકા જેટલો છે. તો આજે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10095 છે.
8 જુલાઈના રોજ 62 કેસ આવ્યા હતા
ગુજરાતમાં 151 દિવસ એટલે 5 મહિના બાદ આજે સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. આજે 62 કેસ નોંધાતા રાજ્યની ચિંતા વધી છે. ત્યારે ઓમિક્રોન વેરિયન્ટનો જામનગરમાં 1 કેસ નોંધાયો છે. ત્યારે ઓમિક્રોનની દહેશત વચ્ચે કોરોનાના કેસ વધતા ચિંતા વધી છે.
કયા મનપામાં કેટલા કેસ નોંધાયા?
અમદાવાદ શહેરમાં 25, સુરત શહેરમાં 7, ભાવનગર શહેરમાં 6, વડોદરા શહેરમાં 5, જામનગર શહેરમાં 3 કેસ નોંધાયા છે. જ્યારે ગાંધીનગર, જુનાગઢ અને રાજકોટ શહેરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.
કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા?
વલસાડ 4, ખેડા 2, નવસારી 2, અમદાવાદ ગ્રામ્ય 1, આણંદ 1, ગાંધીનગર ગ્રામ્ય 1, જૂનાગઢ ગ્રામ્ય 1, કચ્છ 1, રાજકોટ ગ્રામ્ય 1 અને વડોદરા ગ્રામ્ય 1 કેસ નોંધાયો છે.
રાજ્યમાં આજે કેટલું રસીકરણ થયું?
ગુજરાતમાં આજે 3,82,740 લોકોનું રસીકરણ થયું છે. આમ, રાજ્યમાં કુલ 8,35,26,458 લોકોનું વેક્સિનેશન થઇ ચૂક્યું છે.
ભારતમાં કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો
એક દિવસમાં કોરોનાના નવા કેસ 8 હજાર 306
ભારતમાં એક દિવસમાં 8 હજાર 834 દર્દી કોરોનાથી સ્વસ્થ