વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ પેશન્ટ-ઝીરો એટલે કે શરૂઆતના દર્દીઓમાંથી એક મહીલાની ઓળખ થઇ ગઇ છે. આ મહીલા વુહાનના હુઆનનના માંસ-મચ્છી બજારમાં ઝીંગા માછલી વેંચતી હતી, અહીં જ આ ચીનનો આ કોરોના વાયરસ ઉદ્દભવ થયો હતો. તેને 10 ડિસેમ્બરના રોજ સંક્રમણ થઇ અને એક મહીનાના ઇલાજ પછી તે જાન્યુઆરીમં જ વાયરસ સંક્રમણ વધી ગયેલું જોવા મળ્યું. આ સાથે આ મહિલાએ દાવો કર્યો છે કે જો ચીનની સરકારે સમય પર પગલાં લીધા હોત તો કોરોના વાયરસને ફેલાવતાં અટકાવી શકાયો હોત,
આ 57 વર્ષની મહિલા વી ગુક્સિયાને જણાવ્યું છેકે શર્દી-તાવ હોવા પર તે સ્થાનિક દવાખાને ગઇ, જ્યાં તેને ઇંજેકશન આપીને ઘરે મોકલી દેવામાં આવી. જ્યારે આરામ ન થયો તો બીજા દિવસે વુહાના એક હોસ્પિટલ પહોંચી. અહીંના ઇલાજ થી પણ તેને ફાયદો થયો નહીં. આમ છેલ્લે 16 ડિસેમ્બરના રોજ વુહાનના યુનિયન હોસ્પિટલ ગઇ, જ્યાં તેને કોઇ નવી બિમારીથી પીડિત હોવાનું જણાવતાં કહેવામાં આવ્યું કે આનાન માર્કેટમાંથી આવા કેટલાક કેસ સામે આવ્યાં છે.
જેવી કોરોના વાયરસની બિમારી બહાર આવી કે ડોકટરોએ તેને કોરોન્ટાઇન કરી દીધી. તે જાન્યુઆરી સુધી ઠીક થઇ ગઇ. આ મહિલાને આશંકા છે કે વાયરસનું સંક્રમણ તે સાર્વજનિક શૌચાલયમાંથી થયું છે જ્યાં બીજા માંસ વિક્રેતા (વેપારી)ઓ આવે છે.
વુહાનના સરકારી હોસ્પિટલ અનુસાર તે પહેલા 27 લોકોમાંથી એક છે જેની વાયરસની ઓળખ થઇ ગઇ. એવામાં એ 24 લોકોમાંથી એક છે, જે સીધી રીતે માંસ-માર્કેટ સાથે જોડાયેલ છે. જો કે તે પ્રથમ વાયરસ દર્દી છે, તેને લઇને શંકા છે. લાંસેટ મેડિકલ જનરલના અનુસાર તેમને 10 દિવસ પહેલા પહેલી ડિસેમ્બરના રોજ એક અન્ય વ્યક્તિમાં નવો કોરોના વાયરસ મળ્યો હતો.