કોરોનાની ત્રીજી લહેર બાદ એવુ લાગી રહ્યું હતુ કે આ મહામારી હવે સમાપ્ત થઇ ગઇ છે. પરંતુ કોરોના વાયરસ એક વખત ફરીથી ધીરે-ધીરે તેનો પગપેસારો કરી રહ્યો છે. યુરોપ અને એશિયાના દેશો મામલે કોરોનાના કેસો વધ્યા છે.
કોરોનાની ચોથી લહેરમાં તમારા દાંતને જોખમ
યુરોપ અને એશિયાના દેશો મામલે કોરોનાના કેસો વધ્યાં
કોરોના દાંત અને પેઢાને પણ નુકસાન પહોંચાડે છે
કોરોનાથી તમારા દાંતને બચાવો
વૈજ્ઞાનિકોએ આશંકા દર્શાવી છે કે અન્ય મોટા દેશોમાં પણ કોરોનાની ચોથી લહેર એન્ટ્રી આપી શકે છે, જેના માટે ઓમિક્રોનના સબ-વેરિએન્ટ બીએ.2 જવાબદાર છે. કોરોના વાયરસ મુખ્ય રીતે શ્વાસની બિમારી છે, જે ફેફસાને નુકસાન પહોંચાડે છે. જેમાં ફટાફટ તાવ, ખાંસી અને ગળામાં બળતરા થાય છે, પરંતુ હવે આ વાયરસ શરીરના બીજા ભાગમાં તેનો કહેર વરસાવી રહ્યો છે. આરોગ્યના નિષ્ણાંતનુ માનવુ છે કે કોરોના દાંત અને પેઢાને પણ નુકસાન પહોંચાડે છે. જેના લક્ષણો સામે આવવા લાગ્યા છે. જેને કોવિડ ટીથનુ નામ પણ આપવામાં આવ્યું છે. કોરોનાની ચોથી લહેર પહેલા આ લક્ષણોને સમજવા તમારા માટે અત્યંત જરૂરી છે.
કોવિડનો દાંત સાથે ઊંડો સંબંધ
એક રિસર્ચમાં સામે આવ્યું છે કે કોરોના વાયરસના લક્ષણ અને ડેન્ટલ હેલ્થની વચ્ચે ઊંડો સંબંધ છે. વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે કોરોના દાંતના આરોગ્ય પર નકારાત્મક પ્રભાવ પાડે છે. કોરોનાથી પીડિત 75 ટકા દર્દીઓમાં દાંતની મુશ્કેલી જોવા મળે છે. કોરોના વાયરસના અમુક લક્ષણો મોંઢામાં ત્યારે જોવા મળે છે જ્યારે આ વાયરસની અસર ડેન્ટલ હેલ્થ પર પડે છે. આવા સંકેતોને બિલ્કુલ નજર અંદાજ ના કરશો અને તાત્કાલિક ડૉકટરને બતાવી કોરોનાનો ટેસ્ટ કરાવો.
દાંત અથવા પેઢામાં દુ:ખાવો કોઈને પણ પરેશાન કરી શકે છે. જેને કારણે તમારા દિવસની ગતિવિધિઓ પ્રભાવિત થઇ શકે છે. એવામાં જરૂરી છે કે સમય મુજબ તેની સારવાર કરાવી લો. દુ:ખાવાને ઘટાડવા માટે એસિટામિનોફેનના બદલે 400 મિલીગ્રામ ઇબુપ્રોફેન લેવી વધુ અસરકારક હોઇ શકે છે. જો કે, કોઈ પણ દવા ડૉકટરની સલાહ વગર ના લેશો.