અમેરિકાની સંસ્થા સીડીસીએ કોરોનાનું નવું લક્ષણ ઉબકા આવવાને ગણાવ્યું છે. સીડીસીના આધારે કોઈ વ્યક્તિને વારેઘડી અસામાન્ય રીતે ઉબકા આવે છે તો તે કોરોનાનું લક્ષણ હોઈ શકે છે. આ વ્યક્તિએ તરત જ પોતાને આઈસોલેટ કરી લેવો જોઈએ. આ સિવાય સતત નાક વહેવું અને ડાયરિયા થવા એ પણ કોરોનાના નવા લક્ષણો છે. આ સિવાય તાવ, શ્વાસ લેવામાં તકલીફ, સૂકી ખાંસી અને થાક લાગવો વગેરે પણ કોરોના વાયરસના લક્ષણો ગણવામાં આવી રહ્યા છે.
કોરોનાના 3 નવા લક્ષણો સામે આવ્યા
ઉબકા આવવા, નાક વહેવું, ડાયરિયા પણ કોરોનાના લક્ષણ
વ્યક્તિએ પોતાને તરત આઈસોલેટ કરવો જરૂરી
કોરોના વાયરસ સંક્રમણના વધતા પ્રકોપની સાથે તેના નવા લક્ષણો પણ સામે આવી રહ્યા છે. અત્યારસુધી ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં મુશ્કેલીની સાથે થાક લાગવો એ કોરોનાના લક્ષણો ગણાતા હતા પણ હવે અમેરિકાની મેડિકલ સંસ્થા સેન્ટર ફોર ડીસિઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનના 3 નવા શારીરિક લક્ષણોને પણ કોરોના વાયરસના સંભવિત લક્ષણો ગણવામાં આવી રહ્યા છે.
ઉબકા આવવા, નાક વહેવું, ડાયરિયા પણ કોરોનાના લક્ષણ
નાક વહેવું
સીડીસીના આધારે પહેલાં નાક વહેવાનો મતલબપીડિત વ્યક્તિ કોરોનાથી સંક્રમિત છે તેવો ન હતો. પરંતુ હવે જો કોઈ વ્યક્તિ સતત નાક વહેવાની ફરિયાદ કરી રહ્યો છે, બેચેની અનુભવી રહ્યો છે અને તેને તાવ નથી તો પણ એવી વ્યક્તિએ કોરોનાની તપાસ કરાવવી જોઈએ. શક્ય છે કે તમે કોરોના સંક્રમિત હોઈ શકો છો.
ઉબકા આવવા
અમેરિકાની સંસ્થા સીડીસીએ કોરોનાનું નવું લક્ષણ ઉબકા આવવાને ગણાવ્યું છે.સીડીસીના આધારે જો કોઈ વ્યક્તિને વારેઘડી અસામાન્ય રીતે ઉબકા આવે છે તો તે ખતરો બની શકે છે. આવી વ્યક્તિએ પોતાને આઈસોલેટ કરી લેવું યોગ્ય છે. જો કે ઉબકા આવવાના અન્ય અનેક કારણો પણ હોઈ શકે છે. પરંતુ આ સીઝનમાં તેને ઈગ્નોર કરવું નહીં. જો વારેઘડી આ ફરિયાદ રહે છે તો કોરોના ટેસ્ટ કરાવી લેવો જરૂરી છે.
ડાયરિયા
કોરોનાનું ત્રીજું લક્ષણ ડાયરિયા છે. ડોક્ટરોએ પહેલાં પણ કહ્યું હતું કે કોરોના સંક્રમિત દર્દીમાં ડાયરિયા જેવા કે તેનાથી મળતા લક્ષણો હોય છે. હવે સીડીસીએ માન્યું છે કે દુનિયાભરમાં મોટા પાયે કોરોના સંક્રમિતોમાં ડાયરિયાના લક્ષણ મળી રહ્યા છે.
3 નવા લક્ષણો સાથે કોરોનાના કુલ 11 લક્ષણો
આ ત્રણ લક્ષણોને જોડ્યા બાદ સીડીસીના લિસ્ટમાં કોરોના સંક્રમણના કુલ 11 લક્ષણો થયા છે. આ પહેલાં શરીરમાં આવતા 8 ફેરફારોને પણ કોરોનાનો સંકેત માનવામાં આવતા હતા. જેમકે તાવ, વધુ ઠંડી લાગવી, કફ, શ્વાસ લેવામાં તકલીફ, થાક, શરીરમાં દુઃખાવો, માથું દુઃખવું, સ્વાદ ન લાગવો, ગળામાં દર્દ અને ખારાશ.
દુનિયામાં અત્યારસુધીમાં 1 કરોડ લોકો કોરોના સંક્રમિત
દુનિયાભરમાં કોરોના વાયરસના રોગીની સંખ્યા સતત વધી રહી છે. અત્યારસુધીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દુનિયામાં 1 કરોડને પાર થઈ ચૂકી છે. અમેરિકામાં જ 25 લાખથી વધારે લોકો સક્રમિત થયા છે. કોરોના સંક્રમિતોની લિસ્ટમાં ભારત ચોથા ક્રમે છે.