મહારાષ્ટ્ર સરકાર યવતમાલ, અમરાવતી અને અકોલા જિલ્લામાં કોવિડ 19ની સ્થિતિને જોતા કોઈ પણ સમયે ત્યાના પ્રતિબંધને વધારે કડક કરી શકે છે.
બુધવારે સૌથી વધારે 230 નવા કેસ અમરાવતીમાં આવ્યા
સરકાર યવતમાલ, અમરાવતી અને અકોલા શહેરોમાં કડક લોકડાઉન લગાવી શકે
સીએમ અને ડે.સીએમે ગુરુવારે કરી ચર્ચા
આ ચર્ચાના આધાર પર પગલા ભરવાની શક્યતા
સરકારી સૂત્રોએ ગુરુવારે જાણકારી આપી. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ઉપમુખ્યમંત્રી અજીત પવારે આ મુદ્દા પર ગુરુવારે સવારે ચર્ચા કરી અને તેના આધાર પર પગલા ભરવાની શક્યતા છે.
બુધવારે સૌથી વધારે 230 નવા કેસ અમરાવતીમાં આવ્યા
હાલના દિવસોમાં ફરી મહારાષ્ટ્રમાં કોવિડ 19ના મામલામાં વુદ્ધિ જોવા મળી રહી છે. રાજ્યમાં બુધવારે કોવિડ 19ના 4,787 નવા કેસ સામે આવ્યા છે. જે 2021માં રાજ્યમાં એક જદિવસમાં આવેલા સૌથી વધારે કેસ છે. જિલ્લામાં બુધવારે સૌથી વધારે 230 નવા કેસ અમરાવતીમાં આવ્યા હતા. આ મંગળવારે 82 મામલા આવ્યા હતા.
સરકાર યવતમાલ, અમરાવતી અને અકોલા શહેરોમાં કડક લોકડાઉન લગાવી શકે
એક અધિકારીએ જણાવ્યું કે અકોલા નગર નિગમમાં બુધવારે 105 અને મંગળવારે 67 નવા મામલા આવ્યા. સૂત્રોએ જણાવ્યું કે સરકાર કોઈ પણ સમયે યવતમાલ, અમરાવતી અને અકોલા શહેરોમાં કડક લોકડાઉન લગાવી શકે છે. મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ સવારે આના પર ચર્ચા કરી.’
આ જિલ્લામાં કોવિડ 19થી મૃત્યુદર 2.40 ટકા
મહારાષ્ટ્રના થાણેમાં કોવિડ 19ના 369 નવા કેસ સામે આવ્યા બાદ જિલ્લામાં સંક્રમણના મામલા વધી 2,58,694 થઈ ગયા છે. એક અધિકારીએ જણાવ્યું કે બુધવારે વાયરસથી વધુ 6 લોકોના મોત બાદ જિલ્લામાં મૃતકોની સંખ્યા વધી 6214 થઈ ગઈ છે. જિલ્લામાં કોવિડ 19થી મૃત્યુદર 2.40 ટકા છે. અધિકારીઓએ જણાવ્યું કે કુલ 2,49,115 લોકોના સંક્રમણ મુક્ત થવાની સાથે જિલ્લામાં દર્દીઓના સાજા થવાનો દર 96.30 ટકા થઈ ગયો છે. તેમણે જણાવ્યું કે જિલ્લામાં અત્યારે 3365 લોકોની કોરોના વાયરસ સંક્રમણની સારવાર ચાલી રહી છે. આ દરમિયાન નજીકના પાલઘર જિલ્લા પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું કે કોવિડ 19ના અત્યાર સુધીમાં કુલ 45,559 મામલા સામે આવ્યા છે અને વાયરસથી 1,202 લોકોના મોત થયા છે.