ચીનમાં કોરોના વાયરસ પર આપેલા એક વિવાદિત નિવેદનને લઈને ઈટલીનાં એક નેતાએ માફી માંગી છે. ઈટલીના પ્રાંત વેનેટોના ગવર્નર લુકા જાઈયાએ એક ટીવી ચેનલના માધ્યમથી કોરોના વાયરસે ચીનની સંસ્કૃતિને જવાબદાર ગણાવી હતી. તેમણે લોકોના ખાન-પાનની આદતોમાં ભૂલો કાઢતા કહ્યું કે અહી લોકો જીવતા ઉંદર સુધ્ધા ખાઈ લે છે.
જાઈયાએ એક લોકલ ટીવી ચેનલના માધ્યમથી ચીનની સંસ્કૃતિ પર નિશાનો સાધ્યો
જાઈયાએ ચીન ઉંદરડા કાચા ખાતા હોઈ કોરોના વાયરસ થતો હોવાનું કહ્યું
જાઈયાએ બોલ્યા પછી માંફી પણ માંગી
જાઈયાએ એક લોકલ ટીવી ચેનલના માધ્યમથી કહ્યું હતું કે, ‘વેનેટા અને ઈટલીના લોકો ઘણા સાફ સુતરા છે. ન્હાવા અને હાથ ધોવાનું અહીં પ્રશિક્ષણ અમારી સંસ્કૃતિમાંથી મળે છે.
જાઈયાએ ચીનની સંસ્કૃતિમાં દોષ કાઢતા કહ્યું હતું કે, ‘આ ચીનની સંસ્કૃતિની એ સત્યતા છે જે પુરો દેશ કોરોના વાયરસ રુપે ભોગવી રહ્યો છે. અમે પોતે તેમને ઉંદેડા ખાતા જોયા હતા. ઉલ્લેખીયન છે કે ચીની લોકો ઘણી અસામાન્ય વસ્તુ ખાય છે. જેમાં કુતરાઓનો પણ સમાવેશ થાય છે.
ચીન દૂતાવાસે એક ફેસબુક પોસ્ટમાં જવાબમાં કહ્યું કે, ‘ચીન અને ઈટલી આ મહામારીને પહોંચી વળવા આજે સાથે ઉભી છે અને એક નેતા આ માટે ચીનના લોકોને બદાનામ કરી રહ્યાં છે. આ ગંભીર હુમલો લોકોને સ્તબ્ધ કરી દે છે. ઉલ્લેખનીય છે કે ઈટલીના નોર્થ- ઈસ્ટર્ન પ્રાંત વેનેટોમાં કોરોના વાયરસની ભયંકર અસર જોવા મળી છે. સમગ્ર દેશમાં 1576 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ વાયરસને કારણે 34 લોકોના મોત નિપજયા છે.
ચીની દૂતાવાસ તરફથી એક નિવેદન જાહેર થયા બાદ જાઈયાએ પોતાના શબ્દોમાં પાછા લેતા માંફી માંગી છે. જાઈયાએ કહ્યું કે, ‘જો મારા શબ્દોથી કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી છે. તો તેના માટે હું માંફી માંગું છું. હું એવું કહેવા માંગતો હતો કે જ્યારે ખાદ્ય સ્વાસ્થ્ય અને સુરક્ષાની વાત આવે છે તો દેશ તેને પોતાની રીતે કંટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે. ’