નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના મરકઝમાં ભાગ લેનારા 10 લોકોના કોરોના વાયરસથી મોત બાદથી જ દેશના એ તમામ રાજ્યોમાં હડકંપ મચી ગયો છે, જ્યાંથી લોકો જમાત માટે મધ્ય માર્ચમાં દિલ્હી પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં 2100થી વધારે એવા લોકોની ઓખળ કરવામાં આવી છે જે મરકઝમાં આવ્યા હતા.
અત્યાર સુધીમાં 2100થી વધારે એવા લોકોની ઓખળ કરવામાં આવી છે જે મરકઝમાં આવ્યા હતા
તેલંગાણા સરકારનું અનુમાન, રાજ્યથી લગભગ 1000 લોકોએ નિઝામુદ્દીનમાં જમાતમાં ભાગ લીધો હતો
તેલંગાણા સરકારનું અનુમાન છે કે રાજ્યથી લગભગ 1000 લોકોએ નિઝામુદ્દીનમાં જમાતમાં ભાગ લીધો હતો. આ જ પ્રકારે હિમાચલ પ્રદેશ સરકારે આવા 17 લોકોની ઓળખ કરી છે. ઉત્તરપ્રદેશમાં ઓછામાં ઓછા 19 જિલ્લાથી લોકો જમાતમાં ભાગ લેવા આવ્યા હતા.
નિઝામુદ્દીન મરકઝમાં 21 માર્ચ સુધી લગભગ 1800 લોકો હતા
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે 21 માર્ચ સુધી નિઝામુદ્દીન મરકઝમાં કુલ 1746 લોકો હતા જેમાંથી 216 વિદેશી પણ સામેલ છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે નિઝામુદ્દીન મરકઝ સિવાય તબલીગી જમાતના દેશના અન્ય મરકજોમાં 824 વિદેશી હતા.
ગૃહ મંત્રાલય મુજબ આ વર્ષે લગભગ 2100 વિદેશી તબલીગી જમાતના કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ભારત આવ્યા. તેમાંથી ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા, કિર્ગિસ્તાન જેવા દેશોના લોકો સામેલ છે. તબલીગી ગતિવિધિઓમાં ભાગ લેવા માટે ભારત આવનારા વિદેશી સૌથી પહેલા સામાન્ય રીતે દિલ્હીના નિઝામુદ્દીનમાં બંગલાવાળી મસ્જિદ સ્થિત તબલીગી મરકઝમાં રિપોર્ટ કરે છે ત્યારબાદ જ કોઇ અન્ય મરકઝમાં જાય છે.
અત્યાર સુધીમાં દેશભરમાં 2137 લોકોની ઓળખ થઇ ચૂકી છે
ગૃહ મંત્રાલયે જણાવ્યું કે 28 માર્ચે જ કેન્દ્રે તમામ રાજ્યોની પોલીસને કહ્યું છે કે તેઓ તબલીગી જમાતમાં ભાગ લેનારા લોકોની ઓળખ કરે અને તેમની મેડિકલ તપાસ કરી જરૂર પડવા પર ક્વૉરન્ટાઇન કરે. મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે અત્યાર સુધીમાં દેશભરમાં 2137 લોકોની ઓળખ થઇ ચૂકી છે. તેમની મેડિકલ તપાસ થઇ રહી છે અને ક્વૉરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલય મુજબ આવા હજુ વધુ લોકોની ઓળખ કરાઇ રહી છે.
તેલંગાણાના લગભગ 1000 લોકો સામેલ હોવાનું અનુમાન
નિઝામુદ્દીન મરકઝમાં થયેલા કાર્યક્રમમાં સામેલ તેલંગાણાના 6 લોકોના મોત બાદ રાજ્ય સરકારે એવા લોકોની ઓળખ ઝડપી કરી દીધી છે જેઓએ નિઝામુદ્દીનમાં થયેલા જમાતમાં હાજર રહ્યા હતા. એક અધિકારીએ પીટીઆઇને જણાવ્યું, અમારુ અનુમાન છે કે રાજ્યના લગભગ 1000 લોકોએ દિલ્હીમાં થયેલા તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
નિઝામુદ્દીન મરકઝમાં સામેલ થયેલા મધ્યપ્રદેશના 100 લોકોને રાજ્ય સરકારે ક્વૉરન્ટાઇન કરવાનો આદેશ આપ્યો છે. જ્યારે હિમાચલ પ્રદેશના 17 લોકો અને પુડુચેરીના 6 લોકોની ઓળખ કરાઇ છે. જેમાંથી 5ને આઇસોલેશનમાં રખાયા છે.