દેશમાં કોરોનાના નિયમોમાં થઈ રહેલા ભંગના મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કેન્દ્ર સરકારે જણાવ્યું કે લોકો ત્રીજી લહેરની આગાહીને હવામાનની આગાહી જેવી ગણી રહ્યાં છે.
ત્રીજી લહેરને લઈને કેન્દ્ર સરકારે આપી મોટી ચેતવણી
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું ત્રીજી લહેરને લોકો હવામાનની આગાહી ગણી રહ્યાં છે
લોકોને ત્રીજી લહેરની ગંભીરતા અને જવાબદારીનું ભાન નથી
પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે જુલાઈમાં કોરોનાના અંદાજે 73.4 ટકા કેસો કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં નોંધાયા છે. તેમણે વધારે એવી જાણકારી આપી કે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, આસામ સહિત 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રીય ટીમો મોકલવામાં આવી છે.
લોકોને ત્રીજી લહેરની ગંભીરતાનો કોઈ ખ્યાલ નથી-સ્વાસ્થ્ય સચિવ
તેમણે કહ્યું કે મણીપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલપ્રદેશ, જેવા બીજા કેટલાક રાજ્યોમાં કેસોમાં નજીવો વધારો થઈ રહ્યો છે. જ્યારે લોકો ત્રીજી લહેર વિશે વાતો કરતા હોય છે ત્યારે તેઓ તેને હવામાનની આગાવી જેવી ગણી રહ્યાં છે અને તેની ગંભીરતા તથા જવાબદારીનો તેમને કોઈ ખ્યાલ હોતો નથી.
ભારતમાં આ લહેર ન આવે તેની ખાતરી રાખવા માટે આપણા સહુએ પ્રયાસ કરવો પડશે
નીતિ આયોગના મેમ્બર ડોક્ટર વી.કે પોલે જણાવ્યું કે વિશ્વમાં ત્રીજી લહેર ચાલી રહી છે અને ભારતમાં આ લહેર ન આવે તેની ખાતરી રાખવા માટે આપણા સહુએ પ્રયાસ કરવો પડશે. વિશ્વ ત્રીજી લહેરનું સાક્ષી બની રહ્યું છે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ન આવે તેનું ધ્યાન રાખવા માટે આપણે સહુએ હાથ મિલાવવા પડશે. તેમણે કહ્યું કે આજે પ્રધાનમંત્રીએ સ્પસ્ટ શબ્દોમાં કહ્યું કે દેશમાં ત્રીજી લહેરની ચર્ચા કરવાને બદલે આપણે તેને દૂર રાખવાના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રીય કરવું જોઈએ.
કોરોના વાયરસની બીજી લહેર હજી સુધી પૂરી નથી થઈ અને આ બધા વચ્ચે અમુક રાજ્યોમાં ફરીથી કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે PM મોદીએ પૂર્વોત્તરના રાજયોના મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી. હિલ સ્ટેશન અને ફરવા લાયક સ્થળો પર ઉભરાતી ભીડને લઈ PM મોદીએ ચિંતા પણ વ્યકત કરી અને દેશની જનતાને સચેત રહેવાની અપીલ પણ કરી.
કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં આવશે
પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત દરમ્યાન કહ્યું કે વેકસીનેશનને લઈ પૂર્વોતરના રાજ્યો જે રીતે આગળ વધી રહ્યા છે, તે પ્રસંશાને પાત્ર છે. સાથે જ પણ રાજ્યોમાં પ્રમાણ ઓછું છે તે રાજ્યોએ વધુ ભાર આપવાની જરૂર છે. વધુમાં તેમણે કહ્યું કે કોરોનાની બીજી લહેરમાં અલગ અલગ સરકારોએ કામ કર્યું છે. પૂર્વોત્તરના અમુક જિલ્લાઓમાં કેસો વધી રહ્યા છે. એવામાં સતર્ક રહેવું જરૂરી છે. વધુમાં તેમણે કહ્યું કે કન્ટેનમેન્ટ નીતિ પર જોર આપીને જ કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં આવશે.