પાટણની કલેકટર ઓફિસ ખાતે કોરોનાને લઇ CMની બેઠકને લઇ વિવાદ, પાટણના ત્રણ ધારાસભ્યોને બેઠકમાંથી દૂર રાખતા વિવાદ
પાટણમાં CM રૂપાણીની સમીક્ષા બેઠક
કલેકટર ઓફિસ ખાતે કોરોનાને લઈ બેઠક
CM બેઠકને લઇ સર્જાયો વિવાદ
કોરોનાની સ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પાટણ ખાતે પહોંચ્યા હતા. પાટણની પરિસ્થિતિ અંગે CMએ કહ્યું, કે અહીંયાની NGOની કામગીરી શુભેચ્છાપાત્ર છે. સાથે 500 નવા બેડ સિવિલ હોસ્પિટલમાં વધારાશે. સાથે તમામ ગ્રામ્ય વિસ્તારમાં કુલ બીજા 500 બેડ વધારવાની જાહેરાત કરાઈ છે. આ સાથે કોરોના ટેસ્ટિંગ વધારવાની વાત કરી હતી. મુખ્યમંત્રી દ્વારા લેવાયેલા નિર્ણયમાં કન્ટેઈનમેન્ટ ઝોન વધારવાની વાત કરી છે. જેમાં જે વિસ્તારમાં 5 જેટલા કેસ સામે આવે ત્યાં શેરી-મહોલ્લામાં પ્રવેશ બંધ કરવાનો આદેશ કરાયો છે. સાથે રાત્રી કર્ફ્યૂ અને માસ્કને લઈ પણ સૂચન કર્યું છે.
રેમડેસિવિરને લઈ મુખ્યમંત્રીનું નિવેદન
પાટણમાં રેમડેસિવિર ઈન્જેક્શનને લઈ મુખ્યમંત્રીએ કહ્યું, સરકારી હોસ્પિટલ પાસે પૂરતો જથ્થો છે. પરંતુ પ્રાઈવેટ હોસ્પિટલમાં અછતની ફરિયાદને નિવારવા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે મુખ્યમંત્રીએ કહ્યું, સમગ્ર રાજ્યમાં 1થી 10 એપ્રિલ સુધીમાં 1 લાખ 80 હજાર રેમડેસિવિર ઈન્જેક્શન બજારમાં વેચાણ થયા છે. અને 1 લાખ 5 હજાર રેમડેસિવિર સરકારી હોસ્પિટલમાં અપાયા છે. છતાં રાજ્યમાં માગ વધતી જાય છે. તેમની સામે સરકાર સતત કાર્યરત છે. અમદાવાદમાં 50 હજારથી વધુ, રાજકોટમાં 25 હજારથી વધુ ઈન્જેક્શન અપાયા છે. આ સાથે સરકારે 3 લાખ નવા ઓર્ડર પણ આપી દીધા છે.
પાટણમાં કોંગ્રેસના ધારાસભ્યોને CMની બેઠકમાં ન બોલાવતા વિવાદ
પાટણમાં CM રૂપાણીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. કલેકટર ઓફિસ ખાતે કોરોનાને લઇ CMની બેઠકને લઇને વિવાદ સર્જાયો છે. પાટણના ત્રણ ધારાસભ્યોને બેઠકમાંથી દૂર રાખવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા બેઠકમાં પ્રોટોકોલનું ધ્યાન રાખવામાં આવ્યું નહોતું. કિરીટ પટેલ, ચંદનજી ઠાકોર, રઘુ દેસાઈ બાકાદ રખાયા હતા. રઘુ દેસાઇએ કહ્યું કે, પ્રોટોકોલ પ્રમાણે અમને બોલાવવા જોઈએ. જ્યારે ચંદનજી ઠાકોરે જણાવ્યું અમે પ્રશ્નો રજૂ ન કરી શકીએ તે માટે અમને બાકાત રાખ્યા હતા.