રશિયા વિશ્વનો એવો પહેલો દેશ છે, જેણે સૌથી પહેલા કોરોના વેક્સિન શોધવાનો દાવો કર્યો હતો. જો કે જે રીતે આ રસી ડેવલપ કરવામાં આવી છે, તેના પર પહેલાથી જ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે.
કોવિડ 19 / મોદી સરકારે રશિયન વેક્સિનના ટ્રાયલ માટે મંજૂરી ન આપી
ડો. રેડ્ડીઝ લેબોરેટરી એ ત્રીજા ચરણના ટ્રાયલ માટે માંગી હતી મંજૂરી
રશિયા દુનિયાનો પહેલો દેશ જેણે કોરોના વેકિસન બનાવવાનો કર્યો હતો દાવો
ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા એ ફાર્મા કંપની ડો. રેડ્ડીઝ લેબોરેટરી ના તે પ્રસ્તાવને નકારી દીધો જેમાં તેને ભારતમાં રશિયાની કોરોના વેક્સિનનું હ્યુમન ટ્રાયલ કરવાની મંજૂરી માંગી હતી. આ ટ્રાયલ ત્રીજા ચરણનું બનવાનું હતું. જો કે DCGI એ કંપનીને કહ્યું હતું કે તે આ પહેલા ભારતમાં તે રસીના પહેલા અને બીજા ચરણનું ટ્રાયલ કરાવે. નોંધનીય છે કે સ્કંપુતનિકપની એ રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ RDIF ની સાથે મળીને ભારતમાં આ રસીના પ્રોડક્શન અને વિતરણ માટે ડીલ ફાઇનલ કરી છે.
રશિયા એ દુનિયાની પહેલી વેક્સિન શોધવાનો કર્યો દાવો, એક્સ્પર્ટસમાં ચિંતા
રશિયા એ દુનિયાનો પહેલો એવો દેશ છે જેણે કોરોના વેક્સિન બનાવવાનો દાવો કર્યો છે, બહુ જ ઓછા સમયમાં આ વેક્સિન ડેવલપ થઈ છે, તેને લઈને વૈશ્વિક સ્તર પર તેના પ્રયોગને લઈને એક્સપર્ટસમાં ચિંતા ઊભરી છે. આ જ કારણ છે કે સરકારે ભારતમાં આ રસી ના સામાન્ય જનસંખ્યા પર ત્રીજા ટ્રાયલ ની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. હાલમાં રશિયા માં જો કે સ્પુતનિક 5 નું ત્રીજા ચરણનું ટ્રાયલ ચાલી રહ્યું છે. જેમાં 40 હજાર વૉલંટિયર્સ સામેલ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
ભારત માં ચાલુ છે ત્રણ રસીનું ટ્રાયલ
હાલમાં ભારત માં ત્રણ કોરોના વેક્સિન નું હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે, જેમાં ઓક્સફર્ડ દ્વારા વિકસિત રસીનું પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા તરેલ ચાલી રહ્યું છે, આ કંપની આ રસીનું ઉત્પાદન પણ કરશે. આ સિવાય ICMR ના સહયોગથી ભારત બાયોટેક ફાર્મા એ કોવેક્સિન નામની રસીનું સંશોધન કર્યું છે, જે હાલમાં હ્યુમન ટ્રાયલ્સના બીજા ચરણમાં છે અને ત્રીજી ફાર્મા કંપની ઝાયડસ કેડીલા છે જેણે પણ એક કોવિડ વેક્સિન બનાવી છે, જે હાલમાં બીજા ચરણના ટ્રાયલમાં છે.
ભારત માં ઘટી રહ્યાં છે કોરોના ના કેસ
જો કે રાહતની વાત એ છે કે હાલમાં ભારતમાં કોવિડ સંબંધિત કેસો હાલમાં ઘટી રહ્યાં છે, અંને લઈને એવું મનાઈ રહ્યું છે કે હાલમાં કોરોના ની પહેલી વેવની અસર હવે ઓછી થઈ રહી છે, જો કે આગામી તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને આ કેસો ફરી વધી શકે છે તેવી સંભાવના પણ છે.
16 સપ્ટેમ્બરે દેશમાં કોરોના ના રોજ 90 હજારથી વધુ કેસો સામે આવી રહ્યાં હતાં જેની એવરેજ 7 ઓક્ટોબર સુધી સરેરાશ 70 હજારની રહી ગઈ છે, જેથી કહી શકાય કે તેમે 20 ટકાનો ઘટાડો નોંધાયો છે.