ભારત સહિત દુનિયામાં કોરોના નબળો પડ્યો છે અને નવો વેરિયન્ટ ન આવે ત્યાં સુધી નવી લહેરનો કોઈ ખતરો નથી તેવું નિષ્ણાંતો માની રહ્યાં છે પરંતુ હવે એક નવી ચિંતા પેદા થઈ છે. હાલમાં ઓમિક્રોનના સબ વેરિયન્ટ BA.2 એક્ટિવ છે અને તે દેશ-દુનિયામાં કોરોનાની નવી લહેર લાવી શકે છે. ઓમિક્રોના BA.2 સબ-વેરિઅન્ટ અંગે વિવિધ પ્રકારની આશંકા અને અનુમાન છે. એવું કહેવાય છે કે કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ BA.2 મૂળ વેરિઅન્ટ (BA.1 સબ-વેરિઅન્ટ) કરતાં વધુ ઝડપથી ફેલાશે. આ સબ-વેરિઅન્ટનો ડેલ્ટા પણ ખતરનાક હોવાની આશંકા સેવાઈ રહી છે.
BA.2 સબ-વેરિયન્ટમા ગંભીર રોગ પેદા કરવાની ક્ષમતા
જાણીતા રોગચાળા નિષ્ણાત ડૉ એરિક ફીગલ-ડિંગે ચેતવણી આપી હતી કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ BA.2 સબ-વેરિયન્ટને 'વેરિઅન્ટ્સ ઓફ કન્સર્ન' તરીકે જાહેર કર્યો છે અને તે ગંભીર રોગ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. ડૉ. એરિકે એમ પણ કહ્યું કે BA.2 સબ-વેરિઅન્ટ કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ જેટલું જ ખતરનાક બની શકે છે.
WHOએ શું કહ્યું?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું કે BA.2 સબ-વેરિઅન્ટ અગાઉના પેટા વેરિઅન્ટ કરતાં વધુ ટ્રાન્સમિસિબલ છે, પરંતુ ગંભીર નથી. WHO ના કોવિડ-19 ટેકનિકલ લીડ મારિયા વાન કેરખોવાએ કહ્યું કે બધા પેટા વેરિઅન્ટ્સમાં BA.1 કરતાં Ba.2 વધુ ટ્રાન્સમિસિબલ છે.
શા માટે ખરાબ સમાચાર છે, BA.2 ખૂબ ઘાતક
સબ-વેરિઅન્ટ BA.2ને સ્ટીલ્થ ઓમિક્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અંગે ત્રણ મહત્વની બાબતો છે જેને જાપાનની ટીમે માન્યતા આપી છે. BA.2 ગંભીર બીમારી પેદા કરવામાં સક્ષમ છે. આ અભ્યાસ પ્રીપ્રિન્ટ રિપોઝીટરી BioRxiv પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જો કે, તેની સમીક્ષા કરવાની બાકી છે. સંશોધકોએ કહ્યું કે BA.2 એ ઓમિક્રોન સબવેરિયન્ટ તરીકે જાણીતું છે, પરંતુ તેની જીનોમ સિક્વન્સિંગ BA.1 કરતા નોંધપાત્ર રીતે અલગ છે.
કોરોના પરિવારના બીજા વાયરસ દ્વારા ફેલાશે મહામારી-બીલ ગેટ્સ
માઈક્રોસોફ્ટના સંસ્થાપક બીલ ગેટ્સે કહ્યું કે દુનિયામાં થોડા વખતમાં કોરોના જેવી વધુ એક મહામારી આવશે. જોકે તેમણે સ્પસ્ટ કહ્યું કે કોરોનાથી ગંભીર રીતે બીમાર પડવાનો ખતરો ઘણો ઓછો થઈ ગયો છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કે લોકોમાં આ વાયરસની સામે પ્રતિરોધક ક્ષમતા પેદા થઈ રહી છે. બીલ ગેટ્સે કહ્યું કે ભવિષ્યમાં આવનાર મહામારી કોરોના વાયરસના પરિવારના બીજો જીવાણુથી આવી શકે છે. જોકે તેમણે એવી પણ આશા વ્યક્ત કરી કે મેડિકલ ટેકનોલોજીમાં આવેલા વિકાસની મદદથી દુનિયા આવનારી મહામારી સાથે સારી રીતે કામ પાર પાડી શકશે. તેમણે કહ્યું કે તેને માટે અત્યારથી તૈયારી કરી રાખવી પડશે. કોરોના છેલ્લા 2 વર્ષથી આપણી વચ્ચે છે અને તેની ખરાબ અસર હવે ઓછી થઈ રહી છે.