કેબિનેટ બેઠકમાં નવી SOP બાબતે થઈ ચર્ચા, આવતીકાલે રાજ્ય સરકાર કોરોનાની નવી ગાઈડલાઇન જાહેર કરશે
કોરોનાની નવી SOP જાહેર થશે જાહેર
રાત્રી કર્ફ્યુમાં થશે ફેરફાર
19 શહેરોમાં કર્ફ્યુ હટાવવાની વિચારણા
આવતીકાલે રાજ્ય સરકાર કોરોનાની નવી SOP જાહેર કરશે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં નવી SOP બાબતે ચર્ચા થઈ છે. જેમાં રાત્રી રાત્રી કર્ફ્યુના સમયગાળામાં ફેરફાર કરવા વિચારણા કરાઈ હતી. રાત્રી કર્ફ્યુ 10 વાગ્યાને બદલે 11 વાગ્યાનો કરાઈ શકે છે. જે કર્ફ્યુ સવારના 5 વાગ્યા સુધી લાગુ રહેશે. ઉપરાંત 8 મનપા વિસ્તાર સિવાયના 19 શહેરોના કર્ફ્યુ હટાવવાની વિચારણા પણ બેઠકમાં કરાઈ હતી. આ અંગે આવતીકાલે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.
આઠ મહાનગરમાં જ રાત્રિ કર્ફ્યૂ રહેશે તેવા એંધાણ
હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી.હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કરફયુ અમલમાં છે
કયા કયા શહેરોમાં નાઈટ કર્ફ્યૂ દૂર થશે?
આ સિવાય ૧૯ નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં નાઈટ કર્ફ્યૂના નિયમમાંથી કાઢી નાખવામા આવશે તેવી સૂત્રો દ્વારા મળી રહી છે માહિતી
કાલે સાંજે કોર કમિટીની બેઠકમાં લેવાશે રાહતનો નિર્ણય?
૮ મહાનગરો સહિત ૨૭ શહેરોમાં તા.૧૧ ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફયુનો અમલ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી છે. ગત સપ્તાહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. આ નિર્ણયો આ તા. ૪થી ફેબ્રુઆરી ૨૦૨૨થી અમલમાં છે અને તા. ૧૧ મી ફેબ્રુઆરી ૨૦૨૨ના સવારે ૦૬:૦૦ વાગ્યા સુધી અમલમાં રહેવાના છે. કાલે 10 ફેબ્રુઆરીએ મળનારી કોર કમિટીની બેઠકમાં સાંજે કોરોના ગાઈડલાઇન અંગે લેવાશે નિર્ણય.
લગ્ન પ્રસંગ અને અન્ય કાર્યક્રમોમાં સંખ્યાની મર્યાદા વધારવામાં આવી હતી
રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદા છે.બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના ૫૦% પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની સંખ્યા માં યોજવાનું નક્કી થયું હતું . રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં ૩૦૦ વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન સમારોહ તેમજ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના ૫૦% પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવામાં આવી હતી.
ગુજરાતના કોરોના કેસોમા ઘરખમ ઘટાડો
ગુજરાતમાં કોરોના કેસો જેટલી ગતિએ વધ્યા એટલી જ ગતિએ ઘટી પણ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2,502 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 874 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 87 કેસ તો રાજકોટ શહેરમાં 118 કેસ, વડોદરા શહેરમાં 404 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં94 કેસ, ભાવનગર શહેરમાં 28 કેસ સામે આવ્યા છે. કોરોના ફેબ્રુઆરીની 15 તારીખ પછી ગુજરાતમાં એકદમ શાંત પડશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. કોરોનાને લીધે 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 7,487 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 33,631 સુધી પહોંચી ગઈ છે.