રાજ્યમાં ત્રીજી લહેર હવે અંત તરફ જઈ રહી છે. દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં ઘટાડો થવા લાગ્યો છે. ત્યારે રાજ્ય સરકાર કોરોનાની નવી SOP આજે જાહેર કરશે.
રાજ્ય સરકાર કોરોનાની નવી SOP આજે જાહેર કરશે.
રાત્રી કર્ફ્યુના સમયગાળામાં થશે ફેરફાર
રાત્રે 11 થી સવારના 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ થઈ શકે
8 મનપા સિવાયના 27 શહેરોના કર્ફ્યુ હટાવાઈ શકે
રાજ્ય સરકાર કોરોનાની નવી SOP આજે જાહેર કરશે.
રાજ્યમાં ત્રીજી લહેર હવે અંત તરફ જઈ રહી છે. દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં ઘટાડો થવા લાગ્યો છે. હાલ દૈનિક 2500 જેટલા જ કેસ આવી રહ્યા છે. 27 શહેરમાં નાઇટ કર્ફ્યૂ સહિતનાં નિયંત્રણોની 11મી ફેબ્રુઆરીએ અવધિ પૂર્ણ થઈ રહી છે, ત્યારે આજે નવી ગાઇડલાઇન્સ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની ગત કેબિનેટ બેઠકમાં નવી SOP બાબતે ચર્ચા થઈ હતી. જેમાં રાત્રી રાત્રી કર્ફ્યુના સમયગાળામાં ફેરફાર કરવા વિચારણા કરાઈ હતી.
આઠ મહાનગરમાં જ રાત્રિ કર્ફ્યૂ રહેશે તેવા એંધાણ
હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કરફયુ અમલમાં છે
કયા કયા શહેરોમાં નાઈટ કર્ફ્યૂ દૂર થશે ?
આ સિવાય 19 નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં નાઈટ કર્ફ્યૂના નિયમમાંથી કાઢી નાખવામા આવશે તેવી સૂત્રો દ્વારા મળી રહી છે માહિતી
આજે કોર કમિટીની બેઠકમાં લેવાશે રાહતનો નિર્ણય ?
8 મહાનગરો સહિત 27 શહેરોમાં તા.11 ફેબ્રુઆરી સુધી રાત્રિ રાત્રે 10 થી સવારે 6 સુધી કરફયુનો અમલ છે.ગત સપ્તાહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા.આ નિર્ણયો આ તા.4થી ફેબ્રુઆરી 2022થી અમલમાં આવ્યાં છે અને તા.11 મી ફેબ્રુઆરી 2022 ના સવારે 6:00 વાગ્યા સુધી અમલમાં રહેવાના છે. ત્યારે આજે મળનારી કોર કમિટીની બેઠકમાં કોરોના ગાઈડલાઇન અંગે લેવાશે નિર્ણય.
લગ્ન પ્રસંગ અને અન્ય કાર્યક્રમોમાં સંખ્યાની મર્યાદા વધારવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના કેસો જેટલી ગતિએ વધ્યા એટલી જ ગતિએ ઘટી પણ રહ્યા છે. જેના પગલે રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા છે.બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50 % પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યામાં યોજવાનું નક્કી થયું હતું. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 300 વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન સમારોહ તેમજ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50 % પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવામાં આવી હતી.
ગુજરાતમાં કોરોના કેસોમાં ઘરખમ ઘટાડો
છેલ્લા 24 કલાકમાં 2,502 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 874 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 87 કેસ તો રાજકોટ શહેરમાં 118 કેસ, વડોદરા શહેરમાં 404 કેસ સામે આવ્યા છે.કોરોના ફેબ્રુઆરીની 15 તારીખ પછી ગુજરાતમાં એકદમ શાંત પડશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 33,631 સુધી પહોંચી ગઈ છે.