કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો મોટી સંખ્યામાં સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું, ડોકટરોએ કહ્યું મોટા ભાગના માતા-પિતાએ નથી લીધી વેક્સિન
અમદાવાદ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત
150થી વધુ બાળકોમાં કોરોનાનું સંક્રમણ
ગ્રામ્ય વિસ્તારમાં બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધુ
કોરોના ત્રીજી લહેરમાં બાળકો મોટી સંખ્યામાં સંક્રમિત થયા છે. ચોંકાવનારી બાબત એ છે કે આ વખતે શહેરી વિસ્તાર કરતા ગ્રામીણ વિસ્તારમાં બાળકો વધુ ભોગ બન્યા છે.. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 150 થી વધુ બાળકો માં સંક્રમણ ફેલાયું છે.
10 થી 18 વર્ષની ઉંમરના બાળકો
કોરોનાએ ભરડો લીધો અને કેસોની સંખ્યામાં વધારો થયો હતો..હાલમાં સ્થિતિ ધીમે ધીમે કાબુમાં આવી રહી છે પરંતુ બાળકોમાં કોરોના સંક્રમણ વધારે ફેલાયું છે.. આ લહેર દરમિયાન જો વાત કરીએ તો અમદાવાદ જિલ્લા વિસ્તારમાં 0 થી 5 વર્ષના 23 બાળકો કોરોના શિકાર થયા તો 5 થી 10 વર્ષના 57 બાળકો અને 10 થી 18 વર્ષના 91 બાળકોમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું આ તો એ આંક છે જે સરકારી ચોપડે નોંધાયા છે..આ સિવાય પણ ઘણા બાળકો હશે જેને કોરોનાની અસર થઈ હશે.. સારી વાત એ છે કે એકપણ બાળકનું કોરોનાના કારણે મોત નથી થયું.. હાલમાં તમામ બાળકો રિકવર છે પણ એક વાત એ પણ છે કે વેકસીન લીધી તો પણ બાળકો મોટી સંખ્યામાં સંક્રમિત થયા એટલે જ 10 થી 18 વર્ષની ઉંમરના બાળકો ની સંખ્યા વધારે છે
પરિજનોએ વેકસીન ના લીધી હોય જેથી તેનો ચેપ બાળકોમાં લાગ્યો
આમ તો આ લહેરમાં મોરટાલિટી ઓછી છે પરંતુ બાળકોને વધારે અસર થઈ છે.. સરકરે તકેદારીના ભાગ રૂપે સ્કૂલ બંધ રાખી તો પણ બાળકોમાં કોરોનાની અસર વધારે જોવા મળી.તો એક બાબત એ પણ સામે આવી છે કે અમદાવાદ શહેરમાં બાળકો પોઝિટિવ આવ્યા તેના કરતાં ગ્રામીણ વિસ્તારમાં બાળકોમાં કોરોનાની અસર વધુ જોવા મળે છે.. ડોકટરો માની રહ્યા છે કે હાલમાં ડબલ ઋતુની સિઝન ચાલી રહી છે સાથે જ પરિજનોએ વેકસીન ના લીધી હોય જેથી તેનો ચેપ બાળકોમાં લાગ્યો હોય જેથી બાળકોમાં કોરોનાની અસર જોવા મળી હોય જિલ્લામાં આ સિવાય જોઈએ તો અત્યારે કુલ 310 પોઝિટિવ દર્દી છે.. જેમાંથી 20 એડમિટ છે તે પૈકીના 6 ઓક્સીઝન પર છે અને 2 બાયપેપ પર સારવાર લઈ રહ્યા છે.