કેરળમાં કોરોના બાદ ઝીકા વાયરસ અને ડેન્ગ્યૂના કેસની સંખ્યામાં વધારો થતા રાજ્યમાં ટેન્શનનો ટ્રિપલ ડોઝ વર્તાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી પણ ચિંતામાં છે.
કેરળમાં વધ્યું ટેન્શન
કોરોનાના કેસની સાથે ઝીકા વાયરસ અને ડેન્ગ્યૂના કેસ વધ્યા
સ્વાસ્થ્ય મંત્રીએ જાહેર કરી ચિંતા
કેરળમાં 2 લોકોના ઝીકા વાયરસથી સંક્રમિત થવાની પુષ્ટિ થઈ છે. આ સાથે રાજ્યમાં આ વાયરસના કુલ 30 કેસ જોવા મળી રહ્યા છે. રાજ્યની સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે શુક્રવારે કહ્યું કે 30માંથી 10 દર્દીઓની સારવાર ચાલી રહી છે. તેઓએ કહ્યું કે ઝીકાથી સંક્રમિત 2 વ્યક્તિ તુરવનંતપુરમના નેદુંગદંડ અનયારાના વિસ્તારમા રહે છે. આ સાથે અહીંની મેજિકલ કોલેજની પ્રયોગશાળામાં તપાસ બાદ તેમના ઝાકા વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.
શરૂ થઈ તૈયારીઓ
એક નિવેદનમાં કહેવાયુ છે કે આ પહેલા રાજ્યના રાજસ્વ અને સ્વાસ્થ્ય મંત્રીની ઝીકાની ઝપેટના મુદ્દે બેઠક થઈ હતી. આ બેઠકમાં રાજ્યના રાજસ્વ મંત્રીના રાજન અને સ્વાસ્થ્ય મંત્રી જોર્જે સ્થાનિક સ્વશાસન વિભાગની સાથે મળીને સંક્રામક રોગના ફેલાવવાને રોકવા અને વોર્ડ સ્તરે સ્વચ્છતા સમિતિને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. તેઓએ કહ્યું છે કે ઢીકા સિવાય અલગ જિલ્લામાંથી ડેન્ગ્યૂના કેસ પણ સામે આવી રહ્યા છે. આ માટે બંને સામે લડવાનું રહેશે. આ ત્યારે શક્ય છે જ્યારે ત્રણેય વિભાગો એકસાથે મળીને કામ કરે.