દિલ્હીની લોક નાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલના MD ડોક્ટર સુરેશ કુમારે કોરોનાની ત્રીજી લહેરને લઈને એક મોટો દાવો કર્યો છે.
દિલ્હીની LNJPના MD ડોક્ટર સુરેશ કુમારનું મહત્વનું નિવેદન
મેટ્રો શહેરમાં કોરોનાનું પીક આવીને જતું રહ્યું
હવે નાના શહેરો અને ગામડાઓનો વારો
ભારતમાં હાલમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે પરંતુ સારા સમાચાર એ છે કે મહાનગરોમાં કોરોના કેસો ઘટી રહ્યાં છે અને નિષ્ણાંતોનો દાવો છે કે મહાનગરોમાં ત્રીજી લહેરનું પીક આવીને જતું રહ્યું છે પરંતુ હવે ગામડાઓને લઈને માઠા સમાચાર આવ્યાં છે. નિષ્ણાંતોનો દાવો છે કે આગામી થોડા સમયમાં ગામડાઓમાં કોરોના તરખાટ મચાવશે કારણ કે ઓમિક્રોનવાળી લહેર હવે ગામડાઓ તરફ વળી છે. દિલ્હીની LNJPના MD ડોક્ટર સુરેશ કુમારે કહ્યું કે મેટ્રો શહેરમાં કોરોનાનો પોઝિટીવીટી રેટ પીકને સ્પર્શીને નીચે આવી રહ્યો છે. બીજી વેવનો અનુભવ લઈએ બની શકે તે હવે મહાનગરોમાં કોરોનાનું પીક આવી ગયું છે. તેમણે કહ્યું કે નાના શહેરો, જિલ્લા અથવા ગામડાઓમાં કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે એટલે હવે ગામડાઓનો વારો.
ગામડાઓને લઈને નિષ્ણાંતોએ આપી આ મોટી ચેતવણી
નિષ્ણાંતોએ ગામડાઓમાં રહેતા લોકોને સાવધાન થઈ જવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે ભારતના મહાનગરોમાં કોરોનાનું પીક આવીને જતું રહ્યું છે અને હવે ઓમિક્રોનવાળી લહેર ગામડાઓ અને નાના શહેરોમાં ફેલાશે અને તેને કારણે કોરોનાના કેસમાં ઉછાળો આવશે તેથી સાવધાની રાખવાની જરુર છે.
ઓમિક્રોનની લહેર હવે ગામડાઓમાં ફેલાશે-કોરોના ટાસ્ક ફોર્સના સલાહકાર
કેરળના કોચીમાં આઈએમએમાં કોરોના ટાસ્ક ફોર્સના સલાહકાર ડો.રાજીવ જયદેવન કહે છે કે, આગામી કેટલાક સપ્તાહમાં ઓમિક્રોનને કારણે સર્જાયેલી કોરોના મહામારીની ત્રીજી લહેર હવે મહાનગરો બાદ નાના શહેરો અને ગામડાઓમાં પણ ફેલાશે. ડો.રાજીવ જયદેવનને પૂછવામાં આવ્યું હતું કે શું ઓમીક્રોન કોરોનાના અન્ય પ્રકારોને બદલી શકે છે અને શું તે કોરોનાના અન્ય પ્રકારોને બદલી શકે છે અને શું તે આગામી દિવસોમાં સામાન્ય શરદી તરીકે છે. તેને ટ્રાન્સફર કરવામાં આવશે. "તે ખરેખર સાચું નથી કે જો તમે છેલ્લા બે વર્ષમાં રોગચાળાના ઇતિહાસ પર નજર નાખો, તો વેરિએન્ટ્સ બધા મરી ગયા છે, હકીકતમાં, ત્યાં કોઈ વેરિઅન્ટ નથી જે લાંબા સમયથી જીવંત છે.
દક્ષિણ આફ્રિકાની કોરોના લહેર ક્લાસિકલ
દક્ષિણ આફ્રિકાનું ઉદાહરણ આપતાં ડૉ. રાજીવ જયદેવને કહ્યું કે, "તેમની લહેરો ક્લાસિક છે." પહેલી લહેરનું મૂળ વુહાન હતું, બીજી હતી બેટા, ત્રીજું ડેલ્ટા અને ચોથું નામ છે ઓમિક્રોન માર્ચ 2021 માં, ભારત વુહાન વેરિઅન્ટથી પ્રભાવિત થયું હતું અને પછી આપણે ડેલ્ટાનો સામનો કરવો પડ્યો હતો.