કોરોનામાંથી સાજા થયેલા લોકોને છ મહિના સુધી ફેફસામાં લોહી જામી જવાનો ખતરો રહેતો હોય છે.
કોરોનામાંથી સાજા થયાના 6 મહિના સુધી રહે છે લોહી જામી જવાનો ખતરો
ફેફસામાં લોહી જામી જવાનો ખતરો રહેતો હોય છે
કોવિડ-19 પરના લેટેસ્ટ સ્ટડીમાં સામે માહિતી
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે એક વાર કોરોના થઈ જાય પછી બીજા કોઈ રોગનો ખતરો રહેતો નથી પરંતુ આ માન્યતા હવે ખોટી પડી છે કારણ કે સ્વીડનની એક યુનિવર્સિટીના 10 લાખ લોકો પરના મોટા સ્ટડીમાં એવી વાત સામે આવી છે કે કોરોનામાંથી સાજા થયેલા લોકોને છ મહિના સુધી 3 રોગનો ખતરો રહેતો હોય છે.
10 લાખ લોકો પરના સ્ટડીનું તારણ
કોરોના પર 10 લાખ લોકોના સ્ટડીમાં કેટલીક ગંભીર બાબતો સામે આવી છે તેમાંની એક એવી છે કોરોનામાંથી સાજા થનાર લોકોને છ મહિના સુધી ફેફસામાં લોહી જામી જવાનો ખતરો રહેતો હોય છે.
કોરોના ગ્રસિત લોકોમાં આ રોગોનું જોખમ
સંશોધકોને જાણવા મળ્યું છે કે જે લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે તેમને ડીપ વેન થ્રોમ્બોસિસનું જોખમ વધી જાય છે. તે પગમાં લોહીનો ગઠ્ઠો જમા કરે છે અને આ ખતરો કોરોના સંક્રમણ બાદ ત્રણ મહિના સુધી રહે છે. કોરોના પછી પલ્મોનરી એમ્બોલિઝમ, ફેફસામાં લોહી ગંઠાઈ જવાનું જોખમ 6 મહિના સુધી રહે છે અને શરીરમાં રક્તસ્ત્રાવનું જોખમ બે મહિના સુધી રહે છે.
શારીરિક બીમારીવાળા લોકોને તો બમણું જોખમ
સંશોધકોએ જણાવ્યું હતું કે, શારીરિક બીમારીનું જોખમ ધરાવતા લોકોને પહેલા કરતા વધારે જોખમ રહેલું છે. સ્વીડનની ઉમિયા યુનિવર્સિટીના સંશોધકોએ દર્શાવ્યું હતું કે આ પરિણામ લોહી ગંઠાઈ જવાની ઘટનાઓને રોકવામાં મદદ કરશે, ખાસ કરીને વધુ જોખમ ધરાવતા દર્દીઓમાં અને કોવિડ 19 સામે રસીકરણના મહત્વને પ્રોત્સાહન આપશે. નેશનલ રજિસ્ટ્રીની મદદથી, સંશોધનકારોએ જણાવ્યું હતું કે તેઓએ 1 ફેબ્રુઆરી, 2020 થી 25 મે, 2021 ની વચ્ચે 1 મિલિયન સાર્સ-કોવ -2 ચેપના અભ્યાસની તુલના લગભગ ચાર મિલિયન લોકો સાથે કરી હતી.
કોરોના બાદ ડીપ વેઈન થ્રોમ્બોસિસનું જોખમ
સંશોધકોને જાણવા મળ્યું કે કોરોના બાદ ડીપ વેઈન થ્રોમ્બોસિસનું જોખમ પાંચ ગણું વધી જાય છે. પલ્મોનરી એમ્બોલિઝમનું જોખમ 33 ગણું વધી જાય છે અને ચેપના ૩૦ દિવસમાં લોહી લિકેજ થવાનું જોખમ બમણું થઈ જાય છે.
કોરોના પછી સાવધાની રાખવાની નિષ્ણાંતોની સલાહ
નિષ્ણાંતોએ લોકોને કોરોના પછી વધારે સાવધાની રાખવાની તથા કુદરતી જીવન જીવવાની સલાહ આપી છે.