ત્રીજી લહેર દેશમાં વેક્શિનેશનમાં ઝડપ આવી છે. ગુરુવારે દેશમાં 50.29 લાખ વેક્સિન અપાઈ હતી આ સાથે કુલ વેક્સિનનો આંકડો 49 કરોડને પાર પહોંચ્યો છે.
ત્રીજી લહેર દેશમાં વેક્શિનેશનમાં ઝડપ આવી
આજે લાગી 50.29 લાખ વેક્સિન
દેશમાં વેક્સિનેશનનો કુલ આંકડો પહોંચ્યો 49 કરોડને પાર
જુલાઈમાં 13 કરોડથી વધારે વેક્સિન અપાઈ
કેરળમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 22,000 કેસો નોંધાયા
કેરળમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસોમાં સતત ઉછાળો આવી રહ્યો છે. કેરળમાંથી ત્રીજી લહેર ચાલુ થાય તેવી પણ શક્યતા છે. અહીં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 22,000 કેસો નોંધાયા હતા.
ટૂંક સમયમાં વધુ વધુ ચાર વેક્સિન આવશે
સરકાર વધુ ચાર રસીઓની અપેક્ષા રાખી રહી છે-ઝાયડસ કેડિલા, બાયોલોજિકલ-ઇ, નોવાવેક્સ અને જેનોકા સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં, ટોચના સૂત્રોએ માહિતી આપી હતી. તેઓએ ઉમેર્યું કે સરકાર સપ્ટેમ્બરમાં 20 કરોડ રસી ડોઝ અને ઓક્ટોબરમાં 25 કરોડની અપેક્ષા રાખી રહી હતી. દેશમાં કોવાક્સિનનો પુરવઠો પણ વધવાનો છે, અને સંભવ છે કે રસી 15 ઓગસ્ટ સુધીમાં વિશ્વ સંગઠનની મંજૂરી મેળવે.
45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોવિશિલ્ડ વેક્સિનના બન્ને ડોઝની વચ્ચેનો સમયગાળો ઘટાડવાની કોઈ જાહેરાત તો કરવામાં આવી નથી પરંતુ આ મુદ્દો સરકારની ટોચની પ્રાથમિકતા છે અને ગમે ત્યારે તેની જાહેરાત થઈ શકે છે.
કોવિડ-19 વર્કિંગ ગ્રુપના ચેરમેન ડો.એન.કે અરોરાએ જણાવ્યું છે કે બે થી ચાર અઠવાડિયાની અંદર નિર્ણય લેવાઈ શકે છે. જોકે વૈજ્ઞાનિક પુરાવાઓને આધારે આ નિર્ણય લેવામાં આવશે તેવું તેમણે જણાવ્યું છે.
હાલમાં તમામ વયસ્કો માટે કોવિશિલ્ડના બન્ને ડોઝ વચ્ચેનો સમયગાળો 12-16 અઠવાડિયોનો છે. વેક્સિનેશન પ્રોગ્રામની શરુઆતમાં આ સમયગાળો 4-6 અઠવાડિયોનો હતો. ત્યાર બાદ તેને વધારીને 4-8 અઠવાડિયા કરી નાખવામાં આવ્યું અને ત્યાર બાદ ફરી વાર સમયગાળો 12-16 અઠવાડિયાનો દરી દેવાયો હતો.
વધુ સારા પરિણામો માટે સમયગાળો વધારવામાં આવ્યો
આ પરીક્ષણોમાં, રસીની પ્રથમ માત્રા પછી રચાયેલી એન્ટિબોડીઝનું સ્તર તુલનાત્મક રીતે વધારે હતું. પરિણામે, પ્રથમ ડોઝના સારા પરિણામો માટે અંતરાલ વધારવામાં આવ્યું. જો કે, જૂનમાં જ્યારે ભારતે બે ડોઝ વચ્ચેનું અંતર વધાર્યું હતું, ત્યારે અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે પ્રથમ કોવિશિલ્ડ ડોઝની અસરને અગાઉ વધારે પડતો અંદાજ આપવામાં આવ્યો હતો અને તે સમય જતાં ઘટતો જાય છે. ઘણા દેશોએ રસીઓ વચ્ચેનું અંતરાલ ઘટાડ્યા પછી આ બન્યું.